Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતોના દેવા માફીનું આંદોલન, અલ્પેશ ઠાકોરે રસ્તે દૂધ ઢોળીને GSTનો વિરોધ કર્યો, અમદાવાદમાં વેપારીઓની ઉઘાડી લૂંટ

Webdunia
બુધવાર, 5 જુલાઈ 2017 (11:53 IST)
દેશમાં GST લાગુ થઇ ગયા બાદ ચારે તરફ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બુધવારે ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં દેખાવો કરવામાં આવ્યા હતા. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોએ એસજી પર દૂધ ઢોળી GSTનો વિરોધ કર્યો હતો. એસજી હાઇવે પર આવેલા ઝાયડસ સર્કલ પાસે રસ્તા પર જ દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં પોલીસે અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સેનાના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત શહેરોમાં GST સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારી હડતાળ કરી વિરોધ કરી રહ્યાં છે.

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે દૂધ પર પ્રતિબંધ મૂક્યો છે. જેની અસર આવતીકાલથી જોવા મળશે. આજે આઠથી દસ હજાર ગામડાઓએ દૂધ આપ્યું નથી. ઉપરાંત અલ્પેશ ઠાકોરે ડેરીના સંચાલકોને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, દૂધ બંધ નહીં કરે તો આજે રાતથી ડેરીઓનો ધેરાવ કરાશે. શંકર ચૌધરી, જેઠા ભરવાડ સહિતના ડેરીઓના સંચાલકો પર અલ્પેશે આક્ષેપ મૂક્યો હતો કે, આ રાજકીય સંચાલકો ખેડૂતોનું દેવું માફ થાય તેવું ઇચ્છતા નથી.   વિવિધ સંગઠનો દ્વારા આગામી ૫ અને ૬ જૂનના રોજ ગુજરાતમાં દૂધ રોકો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.

દૂધ રોકો આંદોલનની વાત વહેતી થતાં તેની સીધી અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. શહેરના કેટલાક વિસ્તારમાં દૂધ પાર્લરો ઉપર લોકોની પડાપડીના દૃશ્યો જોવા મળ્યાં હતાં. જેને લઈ વેપારીઓ દ્વારા દૂધનો ભાવ વધારી દીધો હતો. રૂ.૪૨ના ભાવ એક લીટર વેચાતુ દૂધ રૂ.૪૮ના ભાવે વેચાયુ હતુ. સ્ટોક ખાલી થઈ જતાં છુટક દૂધનું પણ ધુમ વેચાણ થયું હતું.  ગુજરાતમા દેવા માફી માટે ખુદ ખેડૂતો મેદાનમાં ઊતર્યા છે, જેને પગલે સ્વૈચ્છિક સંગઠન ગુજરાત ખેડૂત સમાજ સહિત વિવિધ સંગઠન તેમજ રાજકીય પક્ષે પણ આંદોલનનું એલાન કર્યું છે. પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની રાજ્ય સરકારોએ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી દીધી છે. પરંતુ ગુજરાત સરકારે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતાં આંદોલન ઉગ્ર બનાવવાનું ખેડૂતોએ નક્કી કર્યું છે, જે અંતર્ગત આગામી ૫ અને ૬ જુલાઈના રોજ ગુજરાતમાં દૂધ રોકો આંદોલન કરવામાં આવશે. ખેડૂત આગેવાનોએ રાજ્યના ખેડૂતોને વિનંતી કરી છે કે, આ દિવસોએ ડેરી દૂધ ભરવા ના જતાં. જોકે આ બે દિવસ દરમિયાન ડેરીઓમાં દૂધ નહી આવે તેવી પવન વેગે વાત વહેતી થતાં મંગળવારે રાત્રે અમદાવાદ શહેરના નાગરીકો દૂધ ખરીદી માટે પાર્લરો પર ઉમટી પડયાં હતાં. જેનો ફાયદો ઉઠાવતા વેપારીઓએ એક લીટરે સીધો ૬ રૂપિયાનો ભાવ વધારી દધો હતો. લોકોએ જરૂરિયાત કરતાં પણ વધારે દૂધની ખરીદી કર્યાનું જાણવા મળ્યું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments