Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદી આજે ભરૂચમાં દેશના સૌથી લાંબા કેબલ પુલનુ કરશે ઉદ્દઘાટન, તસ્વીરો સાથે જાણો તેની ખાસિયત

Webdunia
મંગળવાર, 7 માર્ચ 2017 (10:44 IST)
પીએમ નરેન્દ્ર મોદી આજથે એ બે દિવસના ગુજરાત પ્રવાસ પર જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ અનેક કાર્યક્રમો અને બેઠકોમાં ભાગ લેશે.  પીએમ સૌથી પહેલા ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ પેટ્રોકેમિકલ્સ કૉમપ્લેક્સમાં આયોજીત એક સમારંભમાં ઉદ્યોગ જગતને સંબોધિત કરશે.  પછી પીએમ ભરૂચમાં આયોજીત એક જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ ભરૂચ જીલ્લામાં નર્મદા નદી પર ફોર લેનના એક પુલનુ ઉદ્દઘાટન કરશે. આ પુલનુ નિર્માણ અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય રાજમાર્ગ પર વાહનવ્યવ્યારને સુગમ બનાવવા માટે કરવામાં આવ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ દેશનો સૌથી લાંબો એકસ્ટ્રા ડાજ્ડ કેબલ બ્રિજ છે. તેની લંબાઈ 1344 મીટર છે અને પહોળાઈ 20.8 મીટર છે. તેને બનાવવામાં 2 વર્ષ લાગ્યા જ્યારે કે 379 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. 
તેના અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 8 પર ભરૂચમાં લાગનારા જામથી મુક્તિ મળશે. આ બ્રીજ પર હંમેશા જામ લાગેલો રહે છે પણ બે વર્ષથી જામ વધુ લાગી રહ્યો હતો કારણ કે આ બ્રીજનુ કામ ચાલી રહ્યુ હતુ. 
 
ત્યારબાદ બીજા દિવસે પીએમ સોમનાથ મંદિરની પણ મુલાકાત લેશે. સાથે જ પીએમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા સરપંચના રાષ્ટ્રીય સંમેલનનુ પણ ઉદ્દઘાટન કરશે. પીએમ બન્યા પછી પ્રથમ તક હશે જ્યારે તે સોમનાથ મંદિર પહોંચશે. 
ઉલ્લેખનીય છે છેલ્લા ઘણા સમયથી પીએમ નરેન્દ્ર મોદી યૂપીમાં ચૂંટણી પ્રચાર કરી રહી હતી. યૂપીમાં 8 માર્ચના રોજ અંતિમ સમયનુ મતદાન થવાનુ છે.  ત્યાથી હવે તે સીધા ગુજરાત પહોંચી રહ્યા છે. યૂપીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને સપા-બસપા અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યુ. યૂપીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના નિવેદનો પર વિવાદ પણ ઉઠ્યો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

તિરુપતિમાં બ્લાસ્ટની ધમકી, હોટલોને ઉડાવી દેવાનો ઈમેલ આવ્યો, પોલીસ આખી રાત સર્ચ કરતી રહી

સીતામઢીના તળાવમાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રોશ ફેલાયો છે

ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં હિંદુ સંગઠનના વિરોધમાં 27 લોકો ઘાયલ

ઓડિશામાં વાવાઝોડા 'દાના'ના કહેર વચ્ચે રાહત શિબિરમાં સારા સમાચાર! 1600 ગર્ભવતી મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments