Webdunia - Bharat's app for daily news and videos

Install App

1990થી કર્ણાવતી માટે ભાજપના ધમપછાડા, હેરિટેજ સિટી અમદાવાદને ‘કર્ણાવતી’ નામ મળશે?

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2017 (15:57 IST)
ભારતના એક માત્ર શહેર અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપતાં સ્માર્ટ મેગા સિટી તરીકે ઉભરી રહેલા મહાનગરને એક નવું સ્થાન મળ્યું છે. 600 વર્ષ જૂના આ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે હવે વર્ષોથી અમદાવાદને ‘કર્ણાવતી’ નગર તરીકે ઓળખતો ભાજપ આ નામકરણ કરાવી શકશે? હવે કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ છે, તેઓ જ મુખ્યપ્રધાન હતા ત્યારે 2001માં તેમણે જ નામકરણ માટે દરખાસ્ત કેન્દ્રમાં વાજપેયી સરકારને મોકલી હતી.

એમના જ પ્રયત્નોથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તો શું હવે ભાજપ તેની વર્ષો જૂની માગણીને હજુ સુધી કેમ સંતોષી શકી નથી એવો  પ્રશ્નાર્થ ખુદ ભાજપના  સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ઊભો કર્યો છે. રવિવારે વડોદરામાં ભારત વિકાસ પરિષદના કાર્યક્રમમાં આવેલા સાંસદ સ્વામીએ પોતાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. સ્વામીએ ટોણો મારતા કહ્યું કે, ‘અમદાવાદનું નામ ‘કર્ણાવતી’ થવું જ જોઇએ. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે કેન્દ્રને આ મુદ્દે દરખાસ્ત કરી હતી. એ વખતે એવું કહેતા કે કેન્દ્ર મંજૂરી આપતું નથી. હવે તેઓ ખુદ કેન્દ્રમાં છે તો પછી વિલંબ શા માટે?  સ્વામીએ આ વાતને  ટ્વિટર પર મુકી છે ‘અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ત્યારે જ કહેવાય જ્યારે એનું નામ કર્ણાવતી થાય’.  સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, ‘હું માનું છે કે અમદાવાદનું નામ કર્ણાવતી, ઔરંગઝેબ માર્ગનું નામ દારા શિકોહ, અલાહાબાદનું નામ પ્રયાગ કરવાનું હવે સરળ બનશે.’ પણ મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારે કેન્દ્ર સમક્ષ પડેલી દરખાસ્તો પૈકી કર્ણાટકના બેંગ્લોર શહેરને બેંગલુરુ કરવાની દરખાસ્ત જ મંજૂર કરી છે. પરંતુ ગુજરાતમાંથી અમદાવાદ ભાજપ કે સરકાર કોઇએ કર્ણાવતી નામકરણ માટે કોઇ પ્રયત્નો જ કર્યા નહીં. હવે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થતાં નવેસરથી નામકરણને લઇને ચર્ચા શરૂ થઇ છે. કેન્દ્ર, ગુજરાત, અમદાવાદમાં એક જ પક્ષનું શાસન હોવા છતાં ખુદ ભાજપ પોતાની વર્ષો જૂની લાગણી અને માગણી અંગે ખોંખારીને કંઇ બોલી શકતો નથી
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments