Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને મધ ચટાડવાની સાચી ઉંમર કઈ ? દિવસમાં કેટલી ચમચી ખવડાવવું જોઈએ અને જાણો શું થશે ફાયદા

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2024 (00:02 IST)
Honey To Babies
તમે તમારા બાળકોને જે પ્રકારનો ખોરાક ખવડાવો છો તેની તેમના સ્વાસ્થ્ય પર સ્પષ્ટ અસર જોવા મળે છે. જે બાળકો હેલ્ધી ફૂડ ખાય છે તેઓનું સ્વાસ્થ્ય પણ ઘણી હદ સુધી સારું રહે છે. તેથી જ કહેવાય છે કે બાળકોને શરૂઆતથી જ હેલ્ધી ફૂડ ખવડાવવું જોઈએ. આ બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે.   નાના બાળકોના આહારમાં મધનો સમાવેશ કરવો જરૂરી છે. આનાથી ઘણી સમસ્યાઓ પણ દૂર રહે છે. જો કે, બાળકને યોગ્ય ઉંમરે જ મધ આપવું જોઈએ. તમારે જાણવું જોઈએ કે બાળકોને પહેલીવાર મધ ખવડાવવાની યોગ્ય ઉંમર કઈ છે? બાળકને એક દિવસમાં કેટલું મધ પીવડાવવું જોઈએ અને તેનાથી બાળકને શું ફાયદો થાય છે?
 
બાળકને કઈ ઉંમરે મધ ખવડાવવું જોઈએ?
કેટલીક જગ્યાએ બાળકનો જન્મ થતાં જ તેને મધ ચટાડવામાં આવે છે. પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે બાળકને 1 વર્ષ પછી જ મધ પીવડાવવું જોઈએ. તેનાથી નાની ઉંમરના બાળકને મધ ખવડાવવાથી અનેક પ્રકારના ચેપ ફેલાવાનો ખતરો રહે છે. જેમાં ક્લોસ્ટ્રિડિયમ સંકમ્રણનું જોખમ સૌથી વધુ હોય છે.
 
બાળકને 1 દિવસમાં કેટલું મધ ખવડાવવું?
બાળકને મધ ખવડાવતી વખતે સારી રીતે તપાસો કે મધ શુદ્ધ છે કે નહીં. શરૂઆતમાં, બાળકને 1 ચમચીથી વધુ મધ ન પીવડાવવું જોઈએ. તેનાથી તમને ખબર પડશે કે બાળકને મધથી કોઈ પ્રકારની એલર્જી છે કે નહીં. ધીમે ધીમે તમે મધની માત્રાને 2 ચમચી સુધી વધારી શકો છો. મધ ખવડાવવાથી બાળકોના વિકાસમાં મદદ મળે છે.
 
બાળકોને મધ ખવડાવવાથી આ લાભ થશે
- મધ ખાવાથી બાળકોની ઈમ્યુંનીટી મજબૂત બને છે. મધમાં ભરપૂર એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 
મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ જોવા મળે છે જે બાળકોની પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. ડાયેરિયા અને કબજિયાતમાં મધ ફાયદાકારક છે. 
- બાળકોને શરદી અને ઉધરસ હોય ત્યારે મધ ચાટી શકે છે. તેનાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. ઉધરસની સ્થિતિમાં, તમે સવાર-સાંજ નાના બાળકને એક ચમચી મધ ખવડાવી શકો છો. તમે ઈચ્છો તો મધ અને આદુનો રસ પણ આપી શકો છો.
- બાળકોને પેટમાં ગરબડ હોય કે પેટમાં ચાંદા હોય તો પણ મધ આપી શકાય. મધમાં જોવા મળતા ગુણ અલ્સરને ઘટાડે છે. આનાથી મૌખિક સ્વાસ્થ્ય સુધરે છે.
- મધ ખાવું હૃદય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલ કરી શકાય છે. બાળકોને તેમના હૃદયને સ્વસ્થ રાખવા માટે મધ પણ આપી શકાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali 2024- 2 કે 3 નવેમ્બર ભાઈ બીજ ક્યારે છે, તમારી મૂંઝવણ દૂર કરો

Diwali 2024 Puja Samgri- દીવાળી પૂજન સામગ્રીની યાદી

Karwa chauth 2024- આજે કરવા ચોથ, અહીં જુઓ પૂજાનો સમય, ચંદ્રોદયનો સમય, પૂજા વિધિ, સામગ્રીની દ્રોદયનો સમય

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

Karwa Chauth 2024 Wishes: આ સુંદર મેસેજ સાથે તમારા પાર્ટનરને આપો કરવા ચોથની શુભેચ્છા, સંબંધોમા ભળી જશે મીઠાશ

આગળનો લેખ
Show comments