Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારી બસ અડફેટે આવી ગયું ઘેટા-બકરાંનું ટોળું, 135ના મોત, 25થી વધુ ઘાયલ

Webdunia
રવિવાર, 30 ઑક્ટોબર 2022 (10:41 IST)
કચ્છના સુરજબારી બ્રિજ પર આજે પૂરપાટ ઝડપે આવી રહેલી એસ.ટી.એ ઘેટા-બકરાને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 135 ઘેટાં-બકરાંનાં મોત થયાં હતાં. જેના કારણે પુલ પર પશુઓના લાશોનો ઢગલો જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં 25 જેટલા ઘેટાં-બકરાંને ગંભીર ઈજાઓ પહોંચી છે.
 
કચ્છના પ્રવેશ દ્વાર સૂરજબારી બ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો હતો. પુલ પર પુરપાટ ઝડપે એક એસટી આવી રહી હતી અને તે દરમિયાન ઘેટાં-બકરાંનું ટોળું પણ અહીંથી પસાર થઈ રહ્યું હતું. બસનો જોરદાર હોર્ન સાંભળીને ટોળું વિખેરાઈ ગયું અને મોટો અકસ્માત સર્જાયો. બસ નીચે કચડાઈને 135 પશુઓના મોત થયા હતા. જ્યારે 25 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
 
આ અકસ્માતમાં 100 માદા અને 35 નર ઘેટાંના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતના સમાચાર મળતા જ માલધારી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અસરગ્રસ્ત માલધારીઓને આર્થિક મદદ કરવાની ખાતરી આપી હતી. અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments