Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધી બાદ માત્ર ગુજરાતમાંથી 6 કરોડની બનાવટી નોટો જપ્ત થઈ

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (13:27 IST)
નોટબંધી બાદ ભારતમાં બનાવટી નોટનું પ્રમાણ ઘટશે તેવા સરકાર દ્વારા કરવામાં આવેલો દાવો પણ પોકળ પુરવાર થયો છે. ૯ નવેમ્બર ૨૦૧૬ એટલે કે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારથી લઇને ૩૦ જૂન ૨૦૧૮ સુધી સમગ્ર દેશમાંથી કુલ રૃ. ૧૩ કરોડ ૮૬ લાખ ૫૧૨૦ની ચલણી નોટ જપ્ત થઇ છે. આ મહિનાના ૨૦ ગાળામાં સમગ્ર દેશમાંથી ગુજરાતમાંથી સૌથી વધુ રૃ. ૫.૯૪ કરોડની બનાવટી ચલણી નોટ જપ્ત થઇ હોવાનું સામે આવ્યું છે. લોકસભામાં આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હંસરાજ ગંગારામ આહિરે બનાવટી ચલણી નોટ અંગેની આ માહિતી આપી હતી. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાંથી કુલ રૃ. ૫ કરોડ ૯૪ લાખ ૮૭૪૭૦ની બનાવટી ચલણી નોટ જપ્ત થઇ છે. આમ, સમગ્ર દેશમાંથી લગભગ ૪૦ ટકા બનાવટી ચલણી નોટ ગુજરાતમાંથી જપ્ત થઇ છે તેમ કહી શકાય. સૌથી વધુ બનાવટી ચલણી નોટ જપ્ત થવાને મામલે ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, મિઝોરમનો ક્રમ આવે છે. મંત્રી હંસરાજ ગંગારામ આહિરે જણાવ્યું હતું કે, 'દેશમાં બનાવટી ચલણી નોટ ફરતી કરવામાં કયા તત્વોનો હાથ છે તેની કેન્દ્ર-રાજ્યની ગુપ્તચર સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાડોશી દેશમાંથી પણ ભારતમાં બનાવટી ચલણી નોટ ઘુસાડવામાં આવે છે. જેને અટકાવવા માટે અમે સરહદે નવી ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવેલી છે. સ્મગલિંગ અને બનાવટી ચલણી નોટ પર અંકૂશ મેળવવા બાંગલાદેશ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર પણ કરાયા છે.'
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM Modi-Spain PM Pedro in Vadodara Live : રોડ-શો જોવા સવારથી લોકોની ભીડ, વડોદરા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ – પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનું લક્ષ્ય

દિવાળી પહેલા હૈદરાબાદમાં મોટી દુર્ઘટના! ફટાકડાની દુકાન, રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગભગ 8 કાર બળીને ખાખ થઈ ગઈ

Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત

આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરામાં એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

આગળનો લેખ
Show comments