Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hartalika Teej 2024: પહેલીવાર કરી રહ્યા છો કેવડાત્રીજ (હરતાલિકા વ્રત), તો આ રીતે કરો તૈયારી

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (22:07 IST)
- કેવડાત્રીજનુ વ્રત આ વર્ષ 6 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવશે 
- પરણેલી સ્ત્રીઓ માટે આ વ્રત ખાસ માનવામાં આવે છે. 
- તમે પહેલીવાર વ્રત કરી રહ્યા છો તો જાણો કેવી રીતે કરશો તૈયારી 
 
Hartalika Teej 2024: હરતાલિકા તીજ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ હિંદુ ધર્મનો ઉપવાસ છે જે માત્ર પરિણીત મહિલાઓ દ્વારા જ નહીં પરંતુ કુંવારી છોકરીઓ જેઓ સારો વર ઈચ્છે છે તેમના દ્વારા પણ કરવામાં આવે છે  આ વ્રતને સામાન્ય રીતે તીજ અથવા તીજા પણ કહેવામાં આવે છે. આ વખતે 18 સપ્ટેમ્બરે હરતાલિકા તીજનું વ્રત કરવામાં આવશે.
 
આ વ્રતમાં મહાદેવજી અને માતા ગૌરી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ દિવસભર વ્રત રાખે છે અને રાત્રે સંપૂર્ણ મેકઅપ કરે છે અને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે છે.
 
શુ છે હરતાલિકાનો અર્થ ?
માતા પાર્વતીને જ્યારે આ વાતની જાણ થઈ કે તેમના પિતાએ ભગવાન વિષ્ણુ સાથે તેમના લગ્ન નક્કી કર્યા છે તો તે ખૂબ જ દુખી થઈ ગઈ. તેમનુ દુખ જોઈને પાર્વતીજીની એક બહેનપણીએ દુખનુ કારણ પુછ્યુ. પાર્વતીજીએ પોતાની વ્યથા સંભળાવી કે સાચા દિલથી ભગવાન શિવની આરાધના કરે છે અને પોતાના પતિના રૂપમાં તેમના સિવાય કોઈ અન્ય વિશે વિચારી પણ શકતી નથી.  ત્યારે તેમની બહેનપણીએ સમજાવ્યુ કે તે હિમંત ન હારે અને તેમની સાથે જાય.  આ રીતે પાર્વતીજીને સમજાવીને તેમની બહેનપણી તેમને જંગલમાં તપ સ્થળ પર લઈ ગઈ. જ્યા તેમના પિતા પણ પહોચી શકે નહી. એવી જગ્યાએ પાર્વતીજીએ કઠોર તપ શરૂ કર્યુ.  જેના ફળ સ્વરૂપ શિવજીએ તેમને દર્શન આપ્યા અને પાર્વતીજીની ઈચ્છામુજબ તેમની સાથે લગ્ન કરવા માટે તથાસ્તુ કહ્યુ. ત્યારબાદ પાર્વતીજીએ પોતાનુ વ્રત ખોલ્યુ અને બીજા દિવસે સવારે પારણા કરી લીધા. આ દિવસ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ હતી. 
 
હરતાલિકા શબ્દનો અર્થ છે કે પાર્વતીજીની બહેનપણી તેમને હરીને મતલબ અપહરણ કરીને લઈ ગઈ હતી તેથી હર, અને તાલિકાનો અર્થ છે બહેનપણીઓ. 

કેવડાત્રીજ વ્રત કથા

 
હરતાલિકા તીજ કેવી રીતે ઉજવવી
 
-  24 કલાક નિરાજલ અને નિરાહાર રહેવુ.
-  એક દિવસ પહેલા હાથ પર મહેંદી લગાવો.
-  રેતીમાંથી ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવો.
-  કેળાના પાનનો મંડપ બનાવો.
-  સાંજે નવા વસ્ત્રો પહેરો અને સોળ શણગાર કરો.
- મૂર્તિની સામે દીવો અને અગરબત્તી પ્રગટાવો.
-  ફળ, ફૂલ, મીઠાઈ, માળા, દુર્વા, બેલપત્ર અને શમીપત્ર અર્પણ કરો.
-  દેવી પાર્વતીને બંગડીઓ, બિંદી, આલ્તા, નેઇલ પોલીશ, લિપસ્ટિક, લાલ કપડાં વગેરે જેવી મેકઅપની વસ્તુઓ અર્પણ કરો.
-  હરતાલિકા તીજ વ્રત કથા સાંભળો અને સંભળાવો.
-  આ પછી ભગવાન ગણેશ, શિવ અને પાર્વતીની આરતી કરો.
-  બીજા દિવસે પારણ કરો 
-  તમારા પતિના લાંબા આયુષ્ય માટે અને સારા વરની પ્રાપ્તિ માટે આ વ્રત જરૂર કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments