Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cyclone: Do's & Dont's- વાવાઝોડા સમયે શું કરવું, શું ન કરવું

Webdunia
રવિવાર, 11 જૂન 2023 (16:48 IST)
Cyclone: Do's & Dont's-  વાવાઝોડા દરમિયાના ઘરથી બહાર ના નિકળવા જ્યારે સુધી આવુ કરવા માટે કહે. જો સરકારની તરફથી આવુ કરવાની સલાહા આપે તો નજીકના આશ્રય અથવા સલામત સ્થળે આશ્રય લો
 
- જો તમારી પાસે વાહન છે અને તમે ઘર છોડવા માંગો છો, તો પ્રારંભિક ચેતવણીના સમયે ઘર છોડો
- આ સમય દરમિયાન, ટેલિફોન લાઇન અને મેટલ પાઈપોમાં વીજળી પ્રસારિત થઈ શકે છે, તેથી તેનાથી દૂર રહો. 
- વિદ્યુત ઉપકરણોને અનપ્લગ કરો અને ટેલિફોન અથવા અન્ય કોઈપણ ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ કરશો નહીં.
- ઘરની ઉપર ન જવુ, ઘરની નીચે જમીન પાસે રહો.
- કોઈ જૂના અને જર્જરિત ઘર કે ઝાડની નજીક ન જશો.
- વાવાઝોડા પર નજર રાખો. જો પવનની ગતિ અચાનક બંધ થઈ જાય તો એવું ન માનો કે તોફાન બંધ થઈ ગયું છે. પવન બીજી દિશામાંથી ફરી શકે છે.
જો તમે વાહન ચલાવતા હોવ, તો વાહનને બીચ, વૃક્ષો, પાવર લાઈનો અને પાણીના શરીરથી દૂર રાખો અને વાહનની અંદર જ રહો.
-  અફવાઓ  ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ 
- તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો 
- આ વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો 
- તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો 
- જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે 
-  તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહિ 
- ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધલા ન રાખશો, ખીલેથી છુટ્ટા મુકો
 
વાવાઝોડા વખતે અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને લેશો 
ઘરની અંદર : 
-  વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો
-  બારી-બારણાઓ બંધ રાખો 
- જો તમારું ઘર/મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ 
- વાવાઝોડાની અંતિમ (Latest) માહિતી માટે સતત રેડીઓ કે અન્ય વિશ્વસનીય માહિતી સ્ત્રોતથી માહિતી મેળવતા રહો 
- ગરમ-ઉકાળેલું  અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો 
- વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો 
 
ઘરની બહાર : 
- તૂટેલા અથવા જર્જરિત મકાનોની આસપાસમાં પ્રવેશશો નહિ કે તેની નજીકમાં ઉભા રહેશો નહિ 
- તૂટેલા વીજતાર કે વીજથાંભલાઓથી સલામત અંતર રાખશો. કોઈ ધારદાર ચીજવસ્તુઓથી પણ દૂર રહેશો 
- સલામત આશ્રયસ્થાન શોધીને ત્યાં શરણ લેશો 
 
માછીમાર/સાગરખેડુઓ માટે : 
-  રેડીયો સેટ વધારાની ચાર્જ કરેલી બેટરી સાથે તૈયાર  અને હાથવગી રાખે 
-  તમારી બોટ/વહાણ અને તરાપા કોઈ સલામત સ્થળે યોગ્ય રીતે મજબૂતાઈથી બાંધીને રાખો. 

Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments