Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 7 ખરાબ ટેવોથી લક્ષ્મી સાથ છોડી જાય છે, થાય છે દુર્ભાગ્યની શરૂઆત

Webdunia
શુક્રવાર, 31 જુલાઈ 2015 (15:50 IST)
કહે છે કે સુખ-દુખ માણસના કર્મોનું  ફળ છે. એ એવું બીજ છે જે વાવે છે એ જ ફળ એને મળે છે. વાસ્તુ અધ્યાત્મ અને જ્યોતિષ વગેરેમાં સફળ ને સુખી જીવનના સૂત્ર એ માટે બનાવ્યા છે. જેથી માણસ શુભ કામ કરે અને એને શુભ ફળ પ્રાપ્ત થાય. અજાણતા કરેલા એવા ઘણા કાર્ય એના દુખના કારણ પણ બની શકે છે. બધા શાસ્ત્ર એવા કાર્યોથી દૂર રહેવાની સલાહ આપે છે. તમે પણ જાણો સુખી જીવન માટે કયાં કાર્યો કરવા જોઈએ. 
 

1. મુખ્ય દ્વારની  સામે કચરો ન રાખો અને ત્યાં પાણી પણ એકત્ર ન થવા દો. આનાથી પાડોશી પણ શત્રુ થઈ જાય છે. 
2. રાત્રે સૂતા પહેલા રસોડામાં એક ડોલમાં પાણી ભરીને રાખો. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે. ખાલી ડોલ ઘરમાં તણાવ અને  ચિંતાઓ લઈને આવે છે. 
3. સૂર્યાસ્ત પછી કોઈના ઘરે દૂધ ,દહીં , મીઠું , તેલ અને ડુંગળી લેવા ન જાઓ. આથી જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને કષ્ટોના સામનો કરવો પડે છે. 
4. જ્યારે યાત્રા માટે નિકળી રહ્યા હોય તો ઘરના પૂરા પરિવારે એક સાથે ન નિકળવું જોઈએ. આનાથી ઘરની લક્ષ્મી અને યશનો નાશ થાય છે. 
5. માળિયા પર જૂના માટલા કે ફૂટેલા વાસણ ન રાખવા જોઈએ. ખાસ કરીને રસોઈઘરના માળિયા પર જૂની વસ્તુ ન મુકશો.  આ ગરીબી ને આમંત્રણ આપે છે. 
6. ક્યારે કોઈની  ગરીબી  , અપંગતા કે રોગની મજાક ન બનાવો અને ના એની નકલ કરો. શકય હોય તો એની યથાશક્તિથી સહાયતા કરો. કોઈની લાચારીની મજાક બનાવવાથી જીવનમાં દુર્ભાગ્યનું આગમન થાય છે અને માણસને એની સજા મળે છે. 
7. તૂટેલા અરીસામાં ચેહરો જોવાથી તૂટેલા કાંસકાના ઉપયોગ કરવાથી અશુભ ફળ મળે છે . માનવું છે કે આથી જીવનમાં નકારાત્મક ઉર્જાનું  આગમન થાય છે જે શુભ કાર્યોમાં મુશ્કેલીઓ પહોંચાડે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments