Biodata Maker

કિચન સિંકમાં ભરી જાય છે પાણી, તો તરત કરો આ કામ, તરત દૂર થશે પરેશાની

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (18:57 IST)
kitchen sink cleaning Tips: વાસણ ધોતા સમયે સિંકના પાઈપમાં ખાવા-પીવા કે કોઈ વસ્તુ ફંસવાથી આ સિંક પાઈપ બ્લૉક થઈ જાય છે. તેથી સિંકમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવવા લાગે છે. તેને સરળતાથી સાફ કરી શકાય છે. 
Simple Kitchen Hacks: આજકાલ વધારેપણુ ઘરોમાં રસોડામાં વાસણ ધોવા માટે સિંક હોય છે. તેનાથી એક બાજુ વાસન ધોવા સરળ થાય છે. તેમજ ઘણી વાર પરેશાનીઓ પણ આવે છે. વધારેપણુ કિચનમાં એક સમસ્યા ખૂબ સામાન્ય છે અને તે છે સિંકનો ભરી જવુ. હકીકતમાં વાસણ ધોતા સમયે સિંકના પાઈપમાં  ખાવા-પીવા કે કોઈ 
 
વસ્તુ ફંસવાથી આ સિંક પાઈપ બ્લૉક થઈ જાય છે. તેથી સિંકમાં પાણી ભરાઈ જાય છે અને તેમાં દુર્ગંધ આવવા લાગે છે. જો તમારા રસોડામાં પણ આ સમસ્યા આવે છે તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને રસોડા સાફ કરવાની કેટલીક સરળ ટ્રિક્સ અને ટિપ્સ જણાવી રહ્યા છે. 
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડાનો ઉપયોગ કરીને તમે કિચનના સિંકને સાફ કરી શકો છો. તેના માટે તમે એક કપ ગરમ પાણીમાં 1-2 ચમચી બેકિંગ સોડા કે લીંબુનો રસ મિક્સ કરી પાઈપમાં નાખી દો. થોડી વાર પછી પાણીથી તેને સાફ કરી લો. આવુ કરવાથી તેની દુર્ગંધ પણ દૂર થઈ જશે. ચીકાશ પણ ઓછી થઇ જશે અને ગંદકી પણ સાફ થાય છે.
 
 
ઈનો અને લીંબુ 
કિચનના સિંકને સાફ કરવા માટે ઈનો અને લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે લીંબુના રસમાં એક પેકેટ ઈનો નાખી મિશ્રણ બનાવી લો. તેને સિંકના પાઈપમાં નાખો. થોડી વાર પછી સિંકને પાણીથી ધોઈ લો. આવુ કરવાથી પણ સિંકનો પાઈપ સાફ થઈ જશે અને દુર્ગંધ પણ નહી રહેશે. 
 
ખાવા પીવાની વસ્તુ ન જવા દો 
જો સિંકના પાઈપ વાર -વાર બ્લૉક થાય છે તો તમને થોડો સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ ઘણી વાર કોઈ કારણોસર સિંક ભરાઈ જાય છે અને તેમનું સામાન્ય કારણ વાસણ ધોતી વખતે સિંકમાં કચરો પડવો અથવા ખોરાક ફસાઈ જવો વગેરે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા

ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.

બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી

Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

આગળનો લેખ
Show comments