Biodata Maker

હોમ ટિપ્સ - ઉનાળામાં ઘરને નેચરલ રીતે ઠંડુ રાખવાની ટિપ્સ

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (01:27 IST)
ગરમીની સીઝન શરૂ થઈ ચુકી છે સાથે જ આવી ગયા AC અને કૂલરના ખર્ચા. લોકોએ પોતાના ઘરને ઠંડુ રાખવા માટે કૂલર અને એસી ચલાવવા પણ શરૂ કરી દીધા છે. પણ શુ તમે જાણો છો આખો દિવસ એસીમાં બેસવુ આરોગ્ય માટે હાનિકારક હોય છે.  આવામાં જરૂરી નથી કે તમે ઘરને ઠંડુ રાખવા માટે એસી અને કૂલર જ ચલાવતા રહો. આ માટે તમે કેટલાક નેચલર ઉપાયો પણ કરી શકો છો.  આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ જે બળબળતી ગરમીમાં પણ તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે.  તો ચાલો જાણીએ એસી અને કૂલર વગર  ઘરને ઠંડુ રાખવાની ટિપ્સ  
 
1. છતને ઠંડી રાખો - ઘરની છતને ઘટ્ટ અને ડાર્ક રંગ ન કરાવશો.. કારણ કે તે જલ્દી ગરમ થઈ જાય છે. ઘરને ઠંડુ રાખવા માટે અગાસી પર સફેદ પેંટ કે પીઓપી કરાવો. સ્પેસ એડમિનિસ્ટ્રેશન મુજબ આવુ કરવાથી ઘર 70-80 ટકા સુધી ઠંડુ રહે છે. સફેદ રંગ રિફ્લેટરનુ કામ કરે છે. 
2. હળવા રંગની બૈડ શીટ - ગરમીની ઋતુમાં કાય કૉટનની બેડશીટ અને પડદાંનો ઉપયોગ કરો. કૉટન ફૈબ્રિક અને લાઈટ કલરના પડદાં લગાવવાથી ઘરમાં ઠંડક રહે છે. 
 
3. ઈકો ફ્રેંડલી ઘર - જ ઓ તમે નવુ ઘર બનાવડાવી રહ્યા છો તો પહેલ જ ઈકો ફ્રેંડલી કામ કરાવો. ઘરને બનાવવા માટે હંમેશા રેનવોટર હાર્વેસ્ટિંગ, સોલર વોટર હીટિંગ સિસ્ટમ, સીવેઝ ટ્રિટમેંટ પ્લાન જેવી વસ્તુઓ પર ફોકસ કરો.  તેનાથી ઘર ગરમીની ઋતુમાં પણ ઠંડુ રહે છે. 
 
4. ગાલીચો ન પાથરશો - ઘરને સ્વચ્છ રાખવા માટે દરેક ગાલીચો પાથરે છે.  પણ ગરમીની ઋતુમાં આવુ ન જ કરો તો સારુ છે. ખાલી ફર્શ ઠંડુ પણ રહેશે અને ઉનાળામાં ઉઘાડા પગે ટાઈલ્સ પર ચાલવુ આરોગ્ય માટે પણ સારુ હોય છે. 
5. હવાદાર ઘર અને પાણીનો છંટકાવ 
 
મોટાભાગે તમે દિવસના સમયે બારી-દરવાજા બંધ કરી રાખ છો અને સાંજના સમયે પણ તેને ખોલવાને બદલે બંધ જ રહેવા દો છો. તેને બદલે તમે દરવાજા અને બારીઓ સવાર-સાંજ ખોલી દો.  આ ઉપરાંત ઘરની છત પર પાણી પણ છાંટો. આ રીત તમારા ઘરને નેચરલ રીતે ઠંડુ રાખશે. 
 
6. છોડ દ્વારા ઠંડક - પોતાના ઘર કે ગાર્ડન કે રૂમની અંદર ઠંડક આપનારા છોડ લગાવો.  ઘરના મેન ગેટ અને ઓસરીની આસપાસ છોડને મુકવાથી ગરમીની અસર મોટી હદ સુધી ઓછી કરી શકાય છે.  છોડને કારણે ઘરનુ તાપમાન 6-7 ડિગ્રી જેટલુ ઓછુ જ રહે છે.  જે ઘરને ઠંડુ રાખવા માટે પુષ્કળ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પવન ખેડાની અરજી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

T20 World Cup 2026 માં થઈ હતી મેચ ફિક્સિંગ ? ICC ના એંટી કરપ્શન યૂનિટે શરૂ કરી તપાસ

Women Reservation Bill - મહિલા અનામત બિલ પર અડધી રાત્રે નોટિકિકેશન રજુ કરવાનો શુ મતલબ ? સરકારના નિર્ણયને સહેલાઈથી સમજો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, 8 લોકોના મોત

11, 12, પછી 1:20... મધ્યરાત્રિ વીતી ગઈ, છતાં મહિલા સાંસદો ગૃહમાં જ રહી, દરેકને સ્પીકર દ્વારા બોલવાની તક આપવામાં આવી.

વધુ જુઓ..

ધર્મ

આવા લોકો પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી, આજે જ ઓળખો આ 5 સંકેત

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

આગળનો લેખ
Show comments