તાજેતરમાં થયેલ એક સંશોધન મુજબ રજોનિવૃત્તિ બાદ હોર્મોન રિપ્લેસમેંટ લેનાર મહિલાઓ જો દરરોજ હળદરનું સેવન કરે તો તેમનામાં કેંસરનો ભય એકદમ ઓછો થઈ જાય છે. એક અન્ય શોધમાં પણ આ વાત સામે આવી છે કે હળદર જાડાપણું ઘટાડવા માટે ઉત્તમ છે. હળદરમાં રહેલ કરક્યુમિન નામનું રસાયણ શરીરમાં ઝડપથી મળી જાય છે. આ શરીરની અંદર વસાવાળા ટીશુને વધવા નથી દેતું. હળદરમાં દર્દનિવારક ગુણ પણ છે. જો શરીરમાં દુ:ખાવો થતો હોય તો હળદરને દૂધની સાથે લેવાથી ફાયદો થાય છે. જો સાંધામાં દુ:ખાવો થતો હોય તો હળદરનો લેપ કરવો. હાડકું ભાંગી ગયું હોય, મોચ આવી ગઈ હોય તો હળદરને ગરમ દૂધમાં ભેળવીને પીવાથી રાહત મળે છે. ગળાના દુ:ખાવામાં કાચી હળદરને આદુની સાથે પીસીને ગોળ ભેળવીને ગરમ કરી તેનું સેવન કરવાથી લાભ થાય છે.