Dharma Sangrah

પેટના દુ:ખાવાનો ઘરેલું ઉપચાર

Webdunia
P.R
અસંતુલિત આહારના કારણે ઘણી વખત બાળકો તેમજ મોટેરાઓને પેટમાં દુ:ખાવાની સમસ્યા સતાવે છે. આ દુ:ખાવામાંથી રાહત મેળવા માટેના અમુક ઘરેલું ઉપચારો પણ છે. જેનો અમલ કરવાથી પેટ દર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. આ ઉપચારો પેટનો દુ:ખાવો તો દૂર કરે જ છે પરંતુ સાથોસાથ પાંચન સંબંધિત ક્રિયાઓને પણ વ્યવસ્થિત રાખે છે. પેટના દુ:ખાવાનો ઘરેલું ઉપચાર આ મુજબ છે.

ઉપચાર: 10 ગ્રામ ગોળમાં અડધી ચમચી ખાવાનો ચૂનો ભેળવીને ગોળી બનાવી લો.. તેને એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાથી પેટના દુ:ખાવામાંથી રાહત મળશે. ખરેખર પેટનાં દર્દના કારણો જુદા-જુદા હોય છે. પરંતુ મુખ્યત્વે અપચો, વાયુ, પ્રકોપ અને કબજિયાત હોય છે. પેટના દુ:ખાવામાંથી રાહત લેવા માટે અન્ય એક ઉપચાર પણ છે.

ઉપચાર: 10 ગ્રામ કાચી હીંગ 10 ગ્રામ, 3 ગ્રામ શુદ્ધ હિંગુલ 10 ગ્રામ શંખ ભસ્મ અને 50 ગ્રામ ગોળ લો. હીગ, શંખ ભસ્મ અને હિંગુલને વાટીને તેનું બારીક ચૂર્ણ બનાવો. ગોળની ચાસણી બનાવી તેમાં ચૂર્ણ ભેળવ્યા બાદ તેની નાની-નાની ગોળીઓ બનાવો. ગોળીઓને ઠંડા છાયડે સૂકવો. દરરોજ 2-2 ગોળીઓનું પાણી સાથે સેવન કરવાથી પેટના દુ:ખાવામાંથી રાહત મળશે. આ ગોળીઓ માથના દુ:ખાવામાં પણ ફાયદાકારક રહે છે.

સારી પાચનશક્તિ જાળવી રાખવા માટે અહીં દર્શાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.:

* ખોરાક સારી રીતે રાંધેલો હોવો જોઈએ અને તેને ગરમા ગરમ ખાવો જોઈએ.
* મશીન દ્વારા પોલીસ થયેલા સફેદ ચોખાનો ઉપયોગ ઓછો કરવો.
* તળેલી વસ્તુનો ઉપયોગ ઓછો કરવો.
* ભોજનમાં છાશ, દહીં વધારે પ્રમાણમાં લેવું જોઇએ.
* ઋતુ અનુસાર ફળો, શાકભાજીનો ઉપયોગ કરવો.
* ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ.
* બે વખતનાં ભોજન વચ્ચે ઓછામાં ઓછો 5-7 કલાકનો ગાળો રાખવો.
* ભોજન કર્યા બાદ પાણી કે છાસ સિવાય કોઈ અન્ય વસ્તુ ખાવાપીવાની ટેવ ન રાખવી.
* પેટ પણ એક યંત્ર છે. તેથી તેને પણ અઠવાડીયામાં એક વખત આરામ આપવો જરૂરી છે. માટે અઠવાડીયામાં એક વખત ઉપવાસ કરવો જોઇએ. તે વખતે ખાસ કરીને ફળ, ફળોનો રસ, નાળીયેર પાણી અથવા લીંબુ શરબત લઈ શકાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

હું તમને એક ખાનગી રૂમમાં મળવા માંગુ છું... ક્લબના માલિકે વેઈટર દ્વારા આમંત્રણ મોકલ્યું, પછી ...

Year Ender 2025 - કોણ છે ગુજરાતના એ 10 નેતા જેમણે 2025 માં ખેચ્યુ સૌનુ ધ્યાન ? ટોપ લિસ્ટમાં કંઈ પાર્ટીના કેટલા ચેહરા ?

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments