મોઢાની દુર્ગંધ દૂર કરવા : મોઢામાં દુર્ગંધ આવતી હોય તો રોજ સવારે એક જામફળના ઝાડનું એક પાન ચાવવાથી તેમાંથી છુટકારો મળશે. જામફળ ખાવુ પણ લાભદાયક છે.
કારગર ઉપાય - સાધારણ દઝાયા હોય તો દાઝેલા સ્થાન પર ડુંગળી રગડવાથી બળતરા અને સુઝનમાં રાહત મળે છે. આને દિવસમાં ત્રણ વખત દઝાયેલા સ્થાન પર લગાવવુ લાભદાયક રહેશે.
ગળુ સાફ થશે - લવિંગ તવા પર સેકી લો. તેને એક ચમચી ખાંડ સાથે ચાવીને ખાવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળશે. આનાથી કફ પણ ઓછો થાય છે.
કબજિયાતની પરેશાનીમાં રાહત - જેમણે ગેસ કે કબજિયાત રહેતી હોય તેમણે રોજ સવારે ચણા ખાવા જોઈએ. ચણા ખાવાથી પેટનો દુ:ખાવો અને કબજિયાતમાં રાહત મળશે.