આર્યુવેદ અને યુનાની ચિકિત્સક પદ્ધતિઓમાં આદુને ટોચનું સ્થાન આપાયુ છે. આદુ પાચન અને શ્વાસની બીમારીઓમાં ખૂબ જ લાભકારી છે. આદુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક વગેરે મિનરલ જોવા મળે છે.
1. ભૂખ વધારવા : જો આદુને ભોજન પહેલા સંચળ સાથે મિક્સ કરી ખાવામાં આવે તો ભૂખ વધી જાય છે. આ શરીરમાં જઈને આપણા ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. તેનાથી પેટમાં ગેસ બનતો નથી અને શૌચમાં શુદ્ધિ થાય છે.
2. શરદી, ખાંસી અને માથાનો દુ:ખાવો દૂર કરે - નાકમાંથી પાણી નીકળવું, અને શરદીને તે ક્ષણમાં દૂર કરે છે. એક કપ આદુ, મધ અને તુલસીના પાનવાળી ચા બનાવીને પીવાથી શરદી દૂર ભાગે છે.
3. મુસાફરો માટે ફાયદાકારી - ઘણા લોકોને યાત્રા કરતી વખતે કે પછી ચકડોળમાં બેસ્યા પછી, ઉલટી જેવુ થવુ, માથુ દુ:ખવુ, ગભરાટ થવી જેવી સમસ્યા થાય તો મોઢામાં એક આદુનો ટુકડો મુકી દેવાથી સમસ્યાનું સમાધાન થશે.
4. સાંધાના દુ:ખાવા માટે - સુકો આદુ કે પછી આદુના પાવડરનું સેવન કરવાથી સાંધામાં થનારો સોજો કે દુ:ખાવાથી મુક્તિ મળે છે.
5. યુવાન અને ચમકદાર ત્વચા : યુવા અને ચમકદાર ત્વચા મેળવવા માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ કુણા પાણીની સાથે આદુનો એક ટુકડો જરૂર ખાવ. આનાથી પિગમેટેશનની સમસ્યાથી મુક્તિ મળશે.