Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્ય ટિપ્સ - આંખો સૂજી જતી હોય તો આટલુ કરો

Webdunia
P.R
પીડાદાયક આંખોને को conjunctivitis ના નામથી પણ ઓળખાય છે. આંખોનુ આ સંક્રમણ ખૂબ જ સામાન્ય છે અને આ કોઈ પણ વયની વ્યક્તિને થઈ શકે ચ હે. આંખના રોગમાં હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. અહી સુધી કે આઈબોલ પણ ખૂબ વધુ પ્રભાવિત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સોર આઈસથી પીડિત હોય છે તો આંખો લાલ થઈ જાય છે. ઘણીવાર સોર આઈસના લક્ષણોમાં આંખો લાખ પણ દેખાય છે. આ ઉપરાંત આંખમાં ખંજવાળ પણ આવે છે. આંખો સૂકાય જાય છે અને સુજી પણ જાય છે. આંખ દુ:ખવા પણ માંડે છે. જો કે આંખના આ રોગનો એલોપૈથી ઈલાજ પણ છે જેનથી આંખોની સુજન અને દુ:ખાવો ઓછો કરી શકાય છે. પણ આપ જાણો છો કે સુજી ગયેલી આંખો માટે પ્રાકૃતિક ઈલાજ પણ છે. અહી આપેલા પ્રાકૃતિક ઉપાયો દ્વારા આંખોની સુજન ઓછી કરી શકાય છે.

1. આંખોની સૂજનથી બચવા માટે આંખો પર હલકો ગરમ સેક કરવો જોઈએ.
2. આંખો પર ઠંડી કાકડી કે કાકડીના નાના નાના ગોળ પીસ મુકવાથી આરામ મળે છે.
3. ઘરેલુ ઉપચારમાં સૌથી ઉત્તમ ઉપાય છે કે તમે આંખમાં ગુલાબ જળ નાખો, આનાથી આંખને આરામ મળશે.
4. આંખને કુણા પાણી કે દૂધથી દિવસમાં 3-4વાર ધોવાથી પણ ફાયદો થાય છે.
5. આંખોની સુજન દૂર કરવા માટે કાચા આલૂના રસમાં તેલ મિક્સ કરીને આંખો પર લગાવો.
6. આંખોની સૂજન દૂર કરવા એલોવેરા જેલ ખૂબ જ ઉપયોગી છે. આ માટે તમે એક સૂકા અને સ્વચ્છ કપડાને એલોવેરા જ્યુસમાં ડુબાડી તેનાથી આંખો આંખો લૂછી લો.
7. એક ચમચી મધમાં આંબળાનો રસ મિક્સ કરી દિવસમાં બે વાર પીવાથી આંખોની સુઅજન ઓછી થાય છે. આનાથી આંખને અન્ય સંક્રમણથી પણ બચાવી શકાય છે.
8. ગાજર, પાલક જેવી શાકભાજીઓનો રસ દિવસમાં બે વાર પીવો જોઈએ.


આ ઉપરાંત આંખોની સાફ-સફાઈનુ પણ ધ્યાન રાખવુ જોઈએ અને આંખોને વારેઘડીએ હાથ ન લગાવવો જોઈએ. આ સાથે જ આંખોને દિવસમાં ચાર પાંચ વખત ઠંડા પાણીથી ધોવી જોઈએ.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

Maha Kumbh Stampede Prayagraj - ઝુંસીની હકીકત કેમ છિપાવી રહ્યુ છે કુંભ વહીવટીતંત્ર ? પ્રયાગરાજ મહાકુંભની બીજી નાસભાગનો ખુલાસો

Basant Panchami 2025 Wishes & Quotes in Gujarati: વસંત પંચમીના શુભ અવસર પર સગાસંબંધી અને મિત્રોને મોકલો વસંત પંચમીની શુભેચ્છા

કિન્નર અખાડાની મોટી એક્શન, મમતા કુલકર્ણી-લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા

Show comments