rashifal-2026

એસિડિટીથી પરેશાન છો તો અપનાવો આ અસરદાર ઘરેલુ ઉપાયો

Webdunia
શુક્રવાર, 13 એપ્રિલ 2018 (15:05 IST)
ખોટા ખાન-પાન અને ભાગદોડ ભરી જીંદગીને કારણે મોટાભાગના લોકોને એસિડીટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.  એસિડીટી થવાના અનેક કારણ હોઈ શકે છે જેવા કે સમય પર ન ખાવુ, મોડી રાત સુધી જાગવુ, મસાલેદાર વસ્તુનુ સેવન કરવુ વગેરે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે લોકો અનેક દવાઓનો સહારો લે છે. પણ તેનો વધુ ફાયદો નથી મળતો. કેટલાક ઘરેલુ ઉપાયો અપનવીને પણ એસીડિટીને દૂર કરી શકાય છે.  આજે અમે તમને એસીડિટી દૂર કરવા માટે કેટલાક અસરદર ઘરેલુ ઉપાય બતાવીશુ. 
 
1. કાચુ દૂધ - જે લોકોને એસિડીટીની સમસ્યા રહે છે તેમણે રોજ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ. દૂધમાં મોટી માત્રામાં કેલ્શિયમ હોય છે જે એસિડિટીની સમસ્યાને ખતમ કરે છે. 
 
2. તુલસી - સવાર સવારે ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી એસિડીટી કંટ્રોલમાં રહે છે. તુલસીમાં એસિડિટીને ખતમ કરવાના ગુણ જોવા મળે છે.  રોજ તેનુ સેવન કરવાથી થોડાક જ દિવસમાં એસિડીટીની સમસ્યા દૂર થાય છે. 
 
3. કેળા - કેળામાં પૌટેશિયમ અને ફાઈબર જોવા મળે છે. જે પેટમાં એસિડ બનવા દેતુ નથી. જો તમને પણ એસીડિટીની સમસ્યા રહે છે તો રોજ સવારે કેળા ખાવ. 
 
4. સફરજન સિરકા - 2 મોટી ચમચી સફરજન સિરકાને ઠંડુ પાણી મિક્સ કરીને પીવો. તેનાથી પાચન ક્રિયા સારી રહે છે અને એસિડીટી થતી નથી. 
 
5. વરિયાળી - વરિયાળીમાં એંટી અલ્સર ગુણ હોય છે જે કબજિયાત અને એસિડીટીની સમસ્યાથી રાહત અપાવે છે.  જ્યારે પણ તમને એસીડીટી લાગે તો વરિયાળી ખાઈ લો. જો તમે ચાહો તો વરિયાળીનુ પાણી પણ પી શકો છો. 
 
6. ફુદીનાની ચા - ફુદીનો એસીડીટીની સમસ્યા દૂર કરવા માટે કારગર ઉપાય છે. એસિડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક  કપ ફુદીનાની ચા પીવો. 
 
7. ઈલાયચી - ઈલાયચી ખાવાથી એસીડીટી અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 2 ઈલાયચી લો તેને 1 ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી લો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો તેને પી લો. તેને પીવાથી તરત જ એસીડીટીથી રાહત મળશે. 
 
8. મેથી દાણા - એસિડીટીથી છુટકારો મેળવવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરો. 1 ચમચી મેથીના દાણાને આખી રાત 1 ગ્લાસ પાણીમાં પલાળીને મુકી દો. સવારે ઉઠીને તેને ગાળીને પીવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફુટબોલ દિગ્ગજ લિયોનલ મેસી 15 ડિસેમ્બરે PM મોદી સાથે કરશે મુલાકાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરુવનંતપુરમની જીત થી બીજેપી કેમ ઉત્સાહિત છે .. જાણો ઈનસાઈડ સ્ટોરી

OMG... ફુટબોલર Lionel Messi સાથે ફોટો પડાવવો છે તો આપવા પડશે 10 લાખ, GST અલગથી, ફેંસ બોલ્યા કિડની વેચી દઉ !

Mumbai Ahmedabad Bullet Train - ભરૂચમાં સફળતાપૂર્વક મુકવામાં આવ્યો 230 મીટર લાંબો બાહુબલી સ્ટીલ બ્રિજ

મેસીના પોગ્રામનો મેન ઓર્ગેનાઈઝર અરેસ્ટ, દર્શકોને પરત અપાવશે ટિકિટના પૈસા

વધુ જુઓ..

ધર્મ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments