Biodata Maker

પેટની ગેસથી પરેશાન છો તો કરો આ સરળ ઉપાય

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2017 (17:54 IST)
પાચન પ્રણાલી સાથે જોડાયેલ સમસ્યાઓથી આપણે ક્યારેય ને ક્યારેય તો પીડિત થઈએ જ છીએ. મોટાભાગે અપચાને કારણે આપણે ફુલેલા પેટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ખૂબ અસુખદ અને અત્યાઘુનિક તણાવ આપનારી હોય છે. આવો જાણીએ પેટમાં થનારી ગેસ અને તેના ઉપચાર વિશે.. 
 
પેટની ગેસ વધવાના કારણો  
 
ચા કે કોફી - આ ગેસનુ સૌથી સામાન્ય કારણ છે. ચા સાથે ઉકાળેલુ દૂધ આંતરડાની લાઈનિંગમાં બળતરા અને ગેસયુક્ત તત્વ ઉભા કરે છે. કોફીમાં એસિડિક પી.એચ થાય છે જે ગેસ કરે છે. જેવુ તમે તેમા દૂધ નાખો છો કે સમસ્યા વધી જાય છે. 
 
ખાલી પેટ રહેવુ - આપણી આંતડિયો ત્યારે પણ કામ કરતી હોય છે જ્યારે આપણા પેટમાં બિલકુલ ભોજન નથી થતુ.  આંતરડા અસંખ્ય સ્વસ્થ અને અસ્વસ્થ બૈક્ટેરિયાનુ ઘર હોય છે અને ગેસ ઉભો કરે છે. પેટ પાચન માટે એસિડ બનાવે છે. જ્યારે આપણે લાંબા સમય સુધી ભૂખ્યા રહીએ છીએ તો પેટનુ એસિડ અને આંતરડા મથવાની પ્રક્રિયાથી વધુ ગેસ ઉભી થાય છે. 
 
ગેસ પેદા કરનારા ખાદ્યોનુ સેવન - રાજમા. સફેદ ચણા. ફ્લાવર. ગ્રીન ફ્લાવર. મોટાભાગની સુકી ફળીયો અને ભારે દાળ મોટાભાગે ગેસનુ કારણ બને છે. 
 
ખોટા ખાદ્ય મિશ્રણ - જ્યારે આપણે અસ્વસ્થ મિશ્રણોમાં ભોજન કરીએ છીએ તો ગેસ ઉભી થાય છે. ઉદાહરણ તરીકે ખાધા પછી તરબૂચનુ સેવન ગેસ ઉભી કરે છે. વધુ ઝડપથી ખાવાથી પણ ગેસ થાય છે. 
 
તરત રાહતના ઉપાય 
 
આદુ - આદુનો એક ટુકડો ચાવો અને પછી ગરમ પાણીનો એક કપ પીવો. આવુ પણ કરી શકો છો કે આદુને પાણીમાં ઉકાળીને કાઢો તૈયાર કરો અને તેને પીવો. 
 
મિંટ ટી - મિંટ અને પૈપરમિંટમાં એક વિશિષ્ટ તત્વ હોય છે જે આંતરડાઓને રાહત આપે છે અને જમા ગેસ નીકળી જાય છે. 
 
મેથીના બીજ - પાણી અને મેથી બીજોથી તૈયાર કાઢુ કાફી લાભદાયક સાબિત થાય છે.  
 
સંચળ - ગરમ પાણીમાં થોડુ સંચળ મિક્સ કરી તેને પી જાવ 
 
લાંબો ઉપચાર 
 
- લાંબા સમય સુધી ખાવાથી દૂર ન રહો 
- પેટમાં સ્વસ્થકર બૈક્ટેરિયા પેદા કરવા માટે પ્રોબાયોટિક્સ પીવો. જો તમે લૈકટોજ પ્રત્યે અસહનશીલ છો તો એંજાઈમ્સ લો. 
- એક મહિના સુધી રોજ રાત્રે અડધી ચમચી ત્રિફળા પાવડરની સાથે એલોવેરા જ્યુસ પીવાથી લાભ થાય છે 
- કસરત કરો.. ફરવા જાવ. આ બધુ નિયમિત બનાવો જેનાથી તમે સક્રિય રહો. 
- જો તણાવમાં છો તો ઊંડી શ્વાસ લો.  
વધુ જુઓ..

જરૂર વાંચો

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

રાહુલ ગાંધીએ શાહી વિવાદને મત ચોરી સાથે જોડ્યો, ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા

સાસુ આવી હોવી જોઈએ! જમાઈને 158 અલગ અલગ વાનગીઓ પીરસ્યા, અને તેની આંખો ખુશીથી ભરાઈ ગઈ.

Maharashtra Municipal Corporation Poll Results- શરદ પવારની પાર્ટી 9 શહેરોમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ, BMC ભાજપને ગઈ

વધુ જુઓ..

ધર્મ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી

આગળનો લેખ
Show comments