Dharma Sangrah

હોળાષ્ટક 2023 - આજથી 8 દિવસ સુધી ન કરશો આ કામ, સારા કામોનુ પણ મળશે ખરાબ પરિણામ

Webdunia
સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (12:36 IST)
Holashtak 2023 Start and End Date: હોળીના 8 દિવસ પહેલા શરૂ થનારુ હોળાષ્ટક આજથી શરૂ થઈ ગયુ છે. હોળાષ્ટક ફાગણ મહિનના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી શરૂ થાય છે અને ફાગણ પૂર્ણિમા પર હોલિકા દહન દરમિયાન ખતમ થય છે.  વર્ષ 2023માં હોળાષ્ટક આજથી 27 ફેબ્રુઆરીથી શરૂ થઈને 7 માર્ચ સુધી ચાલશે. હોળાષ્ટકના 8 દિવસ દરમિયાન વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ, મકાન, જમીન, વાહન ખરીદ વેચાણ વગેરે કરવુ નિષેધ માનવામાં આવે છે. આ 8 દિવસમાં કોઈપણ માંગલિક અને અશુભ કાર્યો કરવા અશુભ હોય છે. બીજી બાજુ દેવી દેવતાઓની આરાધના માટે આ દિવસ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. 
 
હોળાષ્ટકમાં નથી કરાતા 16 સંસ્કાર 
 
સનાતન ધર્મમાં 16 સંસ્કારોનુ ઘણુ મહત્વ છે. આ ગર્ભ સંસ્કારથી લઈને અંતિમ સંસ્કાર એટલે કે મૃત્યુ સુધી હોય છે. દેખીતુછે કે જન્મ અને મૃત્યુ પર કોઈનો વશ નથી, પરંતુ આ ઉપરાંત કોઈપણ સંસ્કારને હોળાષ્ટક દરમિયાન કરવા અશુભ માનવામાં આવે છે.  ઉલ્લેખનીય છે કે હોળાષ્ટક દરમિયાન બધા ગ્રહ ખૂબ ઉગ્ર હોય છે. આવામાં આ દરમિયાન કરવામાં આવેલ કામ અશુભ ફળ આપે છે. તેથી હોળાષ્ટક દરમિયાન શુભ કાર્ય કરવામાં આવતા નથી. નહી તો શુભ કાર્યોનુ પણ અશુભ ફળ જ મળે છે. 
 
હોળાષ્ટકમાં કરો મહામૃત્યુંજય મંત્રનો જાપ 
 
ધાર્મિક માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ખૂબ લાભ થાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગથી છુટકારો મળે છે અને હેલ્થ સારી રહે છે. આ ઉપરાંત અકાળ મૃત્યુનો ભય પણ દૂર થાય છે. 
 
હોલિકા દહન - 2023 
 
 આ વખતે હોલિકા દહન એટલે હોળી 7 માર્ચના રોજ પ્રગટાવવામાં આવશે. બીજા દિવસે 8 માર્ચના રોજ રંગોવાળી હોળી રમાશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

માર્ગશીર્ષ મહિનામાં રવિવારે સૂર્યદેવની આ રીતે કરો ઉપાસના, મળશે સમૃદ્ધિ અને પ્રગતિ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

આગળનો લેખ
Show comments