Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતો અને મોદી સરકાર વચ્ચે નવમી બેઠક શરૂ, સમાધાન આવશે?

Webdunia
શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (14:49 IST)
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર કૃષિકાયદાઓને લઈને કેન્દ્ર સરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂતોની વચ્ચે આજે નવમા તબક્કાની ચર્ચા છે.
 
ગત આઠમી જાન્યુઆરીએ છેલ્લી બેઠક મળી હતી, જેમાં કંઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂતો કૃષિકાયદાઓને રદ કરવાની માગને લઈને અડગ છે.
 
સંયુક્ત કિસાન મોરચાના બલબીરસિંહ રાજેવાલે કહ્યું, "અમે સરકાર સાથે ચર્ચા કરીશું. અમારે બહારની કમિટી સાથે ચર્ચા કરવી નથી. અમારી મુખ્ય માગ કૃષિકાયદાઓને પરત લેવાની છે, તેનાથી ભટકાવવાની આ વાત છે."
 
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, "સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લાં મને ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે ખેડૂતોની તમામ સમસ્યા માટે સંવેદનશીલ છીએ."
 
12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાઓને ચકાસવા માટે ચાર સભ્યોની કમિટી બનાવી હતી. જોકે ખેડૂત સંગઠનોએ તેમની સાથે ચર્ચા નહીં કરે તેમ કહ્યું હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments