Webdunia - Bharat's app for daily news and videos

Install App

હ્રદયની સમસ્યાથી બચવા માટે આ Tips યાદ રાખો

Webdunia
મંગળવાર, 26 જુલાઈ 2016 (18:09 IST)
આજકાલની જીવનશૈલીનો એક ભાગ તનાવ બની ગયો છે. ઓફિસ હોય કે પરિવાર માણસ કોઈને કોઈ કારણસર તનાવમાં રહે છે. પણ તમારા હ્રદય માટે બિલકુલ સારો નથી. તેથી તનાવ મુક્ત રહેવાની કોશિશ કરો. તેનાથી તમને હ્રદયરોગને રોકવામાં મદદ મળશે. કારણ કે તનાવ હ્રદયની બીમારીઓનુ મુખ્ય કારણ છે. 
 
કોલેસ્ટ્રોલ લેવલને 130 એમજી/ડીએલ સુધી બનાવી રાખો. કોલેસ્ટ્રોલના મુખ્ય સ્ત્રોત જીવ ઉત્પાદ છે. તેનાથી જેટલુ વધુ હોય બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમારા યકુત મતલબ લીવરમાં વધુ કોલેસ્ટ્રોલનુ નિર્માણ થઈ રહ્યો હોય ત્યારે તમારા કોલેસ્ટ્રોલ ઘટાવનારી દવાઓનુ સેવન કરવુ પડી શકે છે. 
 
પોતાના બ્લડપ્રેશરને 120/80 એમએમએચજીની અ અસપાર રાખો. બ્લડ પ્રેશર વિશેષ રૂપે 130/90થી ઉપર તમારા બ્લોકેજને ડબલ ગતિથી વધારશે. તેને ઓછુ કરવા માટે ખાવામાં મીઠાનો ઉપયોગ ઓછો કરો અને જરૂર પડે તો હળવી દવાઓ લઈને પણ બીપી ઓછુ કરી શકાય છે. 
 
હ્રદયને સ્વસ્થ બનાવવા માટે જરૂરી છેકે શરીરના વજનને સામાન્ય રાખો. તમારી બોડી માસ ઈંડેક્સ 25થી નીચે રહેવુ જોઈએ.  તેની ગણના તમે તમારા કિલોગ્રામ વજનને મીટરમાં તમારા કદના સ્ક્વેયર સાથે ઘટાડીને કરી શકો છો. તેલના પરેજ અને નિમ્ન રેશવાળા અનાજ અને ઉચ્ચ પ્રકારના સલાડનુ સેવન કરી તમે વજનને નિયંત્રિત કરી શકો છો. 
 
 
રોજ અડધો કલાક જરૂર ચાલો. ચાલવાની ગતિ એટલી હોવી જોઈએ જેનાથી છાતીમાં દુખાવો ન થાય અને તમે હાંફવા ન લાગો. આ તમારા સારા કોલેસ્ટ્રોલ મતલબ એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં તમારી મદદ કરી શકે છે. તમે સવારે સાંજે કે પછી રાત્રે જમ્યા પછી કોઈપણ સમયે ચાલી શકો છો. 
 
વ્યાયામ કરો - રોજ 15 મિનિટ સુધી ધ્યાન  અને હળવા યોગ વ્યાયામ રોજ કરો. આ તમારા તનાવ અને રક્ત દબાણને ઓછુ કરશે. તમને સક્રિય રાખશે અને તમાર હ્રદય રોગને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે. વ્યાયામ કરવાથી ન ફક્ત હ્રદય પણ સંપૂર્ણ શરીર ચુસ્ત દુરસ્ત અનુભવ કરવા માંડશે. 
 
રેશાવાળુ ભોજન કરો - સ્વસ્થ હ્રદય માટે રેશાવાળુ ભોજન કરો. ભોજનમાં વધુ શાકભાજી, ફળ અને સલાદનું સેવન કરો. આ તમારા ભોજનમાં રેશા અને એંટી ઓક્સીડેંટ્સના સ્ત્રોત છે અને એચડીએલ કે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં સહાયક છે. તેનાથી તમારી પાચન ક્ષમતા પણ સારી બની રહે છે. 
 
શુગર પર રાખો નજર - જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો શુગરને નિયંત્રણમાં રાખો. તમારુ ફાસ્ટિંગ બ્લડ શુગર 100એમજી/ડીએલથી નીચે હોવુ જોઈએ અને ખાવાના બે કલાક પછી તેને 140 એમજી/ડીએલથી નીચે હોવુ જોઈએ. કસરત વજનમાં કમી  મીઠા ભોજ્ય પદાર થોથી બચતા ડાયાબિટીસને ખતરનાક ન બનવા દેશો 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments