Festival Posters

હનુમાન જયંતી પર સંકટ મોચન પાસેથી મનપસંદ Giftની આશા રાખનારા રાશિ મુજબ કરે આ કામ

Webdunia
બુધવાર, 20 એપ્રિલ 2016 (12:41 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય, શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના વિશેષ માનવામાં આવે છે. ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હસ્ત નક્ષત્ર મળતા હનુમાન જયંતીનો અધ્યાત્મિક પ્રભાવ વધી જાય છે. આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવેલ હનુમાન સાધના રોગ, શોક અને દુ:ખોને મટાવીને વિશિષ્ટ ફળ આપે છે.  શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ એકાદશ રુદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગથી થયો હતો. 
 
હનુમાન જયંતી પર સંકટ મોચન પાસેથી મનપસંદ ગિફ્ટની આશા રાખનારા કરે કંઈક ખાસ 
 
મેષ - એકમુખી હનુમંત કવચનો પાઠ કરે અને હનુમાનજી પર બૂંદી ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચે. 
 
વૃષ - રામચરિતમાનસના સુંદર કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મીઠો રોટલો ચઢાવીને વાનરોને ખવડાવો. 
 
મિથુન - રામચરિતમાનસના અરણ્ય-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર પાન ચઢાવીને ગાયને ખવડાવો. 
 
કર્ક - પંચમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર પીળા ફૂલ ચઢાવીને જળપ્રવાહ કરો. 
 
સિંહ - રામચરિતમાનસના બાળ કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળની રોટલી ચઢાવીને ભિખારીને ખવડાવો. 
 
કન્યા - રામચરિતમાનસના લંકા-કાંડનો પાઠ કરો ને હનુમાન મંદિરમાં શુદ્ધ ઘી ના 6 દીપક પ્રગટાવો. 
 
તુલા - રામચરિતમાનસના બાળ-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ખીર ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો 
 
વૃશ્ચિક - હનુમાન અષ્ટકનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળવાળા ચોખા ચઢાવીને ગાયને ખવડાવો. 
 
ધનુ - રામચરિતમાનસના અયોધ્યાકાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મધ ચઢાવીને ખુદ પ્રસાદના રૂપમાં ખાવ. 
 
 મકર - રામચરિતમાનસના કિષ્કિન્ધા-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મસૂર ચઢાવીને માછલીઓને ખવડાવો 
 
કુંભ - રામચરિતમાનસના ઉત્તર કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગળી રોટલીઓ ચઢાવીને ભેંસોને ખવડાવો 
 
મીન - હનુમંત બાહુકનો પાઠ કરો અને હનુમાનજીના મંદિરમાં લાલ રંગની ધ્વજ કે પતાકા ચઢાવો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

વધુ જુઓ..

નવીનતમ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

Shattila Ekadashi 2026: 13 કે 14 જાન્યુઆરી ક્યારે છે ષટતિલા એકાદશી ? જાણો પૂજા અને પારણનુ શુભ મુહૂર્ત અને વિધિ

Ganesha aarati - જય ગણેશ જય ગણેશ દેવા

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

Show comments