બનાવવાની રીત - એક મોટા વાસણમાં પનીરને બરાબર મસળી લો કે પછી સાવ નાના-નાના ટૂકડાં કરીને અલગ રાખો. આદુંને સાફ કરી પીસી લો.
કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં કાપેલી ડુંગળી નાંખી સોનેરી રંગની થાય ત્યાંસુધી સાંતળો. હવે તેમાં કાપેલા ટામેટા, આદું, લીલા મરચાં નાંખી સાંતળો. ઉપરથી હળદર અને મીઠું છાંટી ટામેટા ઓગળે ત્યાંસુધી સાંતળો. પછી તેમાં પનીર નાંખી એ રીતે હલાવો કે બધું મિશ્રણ એકસાર થઇ જાય. દસ મિનિટ સુધી ગેસની ચાલુ આંચે રંધાવા દો. પછી તેને ગેસ પરથી ઉતારી લીલી કોથમીરના પાંદડાની ગાર્નિશ કરી સર્વ કરો.