બનાવવાની રીત - સૌ પહેલા ડુંગળીને છોલી લો અને ચાર ટુકડામાં કાપી લો. હવે ડુંગળીને પુષ્કળ મીઠુ અને લીંબુના રસથી લપેટીને લગભગ 4 કલાક માટે મુકી દો.
કાંચનો એક જાર લો. તેમા ડુંગળી, તેલ, આમચૂર, સંચળ, લાલ મરચુ, હળદર અને સરસવનો પાવડર નાખો. હવે ઉપરથી બચેલુ તેલ અને લીંબૂનો રસ નાખી દો. પછી મીઠુ નાખીને જાર બંધ કરો. આ જારને 12 દિવસ માટે મુકી દો અને ડુંગળી નરમ પડી જાય પછી સર્વ કરો.