- પુત્ર એ જ છે જે પિતાનુ કહેવુ માને છે, પિતા એ જ છે જે પુત્રોનું પાલન-પોષણ કરે. મિત્ર એ છે જેના પર વિશ્વાસ કરી શકાય છે અને પત્ની એ જ છે જેનાથી બધા સુખ પ્રાપ્ત થાય.
- તેમનાથી બચો જે તમારા મોઢા પર તો મીઠી વાત કરે છે પણ પાછળથી બરબાદ કરવાની યોજના બનાવે છે આવુ કરનારા એ ઝેરના ઘડા સમાન છે જેનુ ઉપરનુ પડ દૂધથી ઢંકાયેલુ હોય છે.
છળ કરવુ, બેવકૂફી કરવી, લાલચ, નિર્દયતા, અપવિત્રતા, કઠોરતા અને ખોટુ બોલવુ એ સ્ત્રીઓના નૈસર્ગિક દુર્ગુણો છે.
- એ વ્યક્તિને ધરતી પર જ સ્વર્ગ મળી જાય છે જેમનો
પુત્ર આજ્ઞાકારી હોય છે
જેમની પત્ની તેની ઈચ્છા મુજબ વ્યવ્હાર કરે છે
જેના મનમા પોતાના કમાવેલ ધનને લઈને સંતોષ હોય છે.
- એ ગૃહસ્થ ભગવાનની કૃપાને મેળવી ચુકે છે, જેના ઘરમાં આનંદદાયી વાતાવરણ છે. બાળકો ગુણી અને પત્ની મધુર ભાષામાં બોલે છે.