Webdunia - Bharat's app for daily news and videos

Install App

અર્જુન રામપાલ : જજ બનવુ સહેલું નથી

Webdunia
P.R
ડાંસ રિયાલિટી શો 'નચ બલિયે' નો ચોથો ભાગ શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે આ શો મા સેલિબ્રિટીજ ડાંસ કરીને દર્શકોને ખુશ કરવાની કોશિશ કરે છે.

આ શોના જજ પણ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. સરોજ ખાન, ફરહાન અખ્તર, કુણાલ કોહલી, મલાઈકા અરોરાએ હંમેશા પોતાની સચોટ ટિપ્પણીયો આપી છે. હવે આ વખતે જજની ખુરશી પર અર્જુન રામપાલ જોવા મળશે.


નાના પડદાં પર પહેલા એ કલાકારો જ આવવાનુ પસંદ કરતા હતા, જેમની પાસે મોટા પડદાં કામ નહોતુ હોતુ. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નાના પડદાં પર ઓછા સમયે વધુ ધન મેળવવાની લાલચ મોટા પડદાંના કલાકારોને આકર્ષિત કરી રહ્યુ છે. ફક્ત ખુરશી પર બેસીને આટલુ ઘન મળે તો પછી મોટા પડદાં માટે શુ કામ મહેનત કરે.

અર્જુનને જ્યારે આ ઓફર મળી ત્યારે તે વિચારમાં પડી ગયા. તેમણે કદાચ બીક લાગી હશે કે તેઓ ટીવી પર દેખાવા માંડશે તો લોકો તેમને ફાલતૂ સમજી લેશે. આ બાબતને લઈને તેમની ખાસ મિત્ર ફરહા ખાને તેમની મદદ કરી. તેમની વાત માનતા અર્જુને આ શો માં જજની ભૂમિકા માટે હા પાડી દીધી.

અર્જુનનુ કહેવુ છે કે તેમનો નિર્ણય લેવામાં સમય એ માટે લાગ્યો કે તેઓ ફિલ્મોમાં વ્યસ્ત છે. તેઓ નાના અને મોટા પડદાંમાં કોઈ ભેદ નથી કરતા. બોલીવુડના બધા દિગ્ગજો ટીવીના નાના પડદા પર આવી રહ્યા છે પછી તેમને શું વાંધો હોઈ શકે.

અર્જુનનુ કહેવુ છે કે આ શો ની તારીખ કાંઈક એવી રીતે આયોજિત કરવામાં આવી છે કે તેમના વ્યસ્ત શેડ્યુલ પર કોઈ ખાસ અસર નહી પડે. અર્જુનનુ માનવુ છે કે જજ બનવુ ભલે સહેલુ લાગતુ હોય પરંતુ આ એક મુશ્કેલ કામ છે.

તેઓ નૃત્યની ટેકનીક અંગે વધુ નથી જાણતા, તેથી તેઓ પ્રતિયોગિયોની ઉર્જા, પરસ્પર તાલમેલ અને સમગ્ર પ્રદર્શન પર નજર રાખશે. અર્જુનના પ્રશંસકો માટે આ એક અનોખી ભેટ હશે કારણ કે દરેક અઠવાડિયે અર્જુન તેમને દર્શન આપશે.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments