Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારે ગુજરાત કોંગ્રેસ ગાંધીનગર ખાતે ખેડૂતો સાથે ઉમટી પડશે

Webdunia
શનિવાર, 30 માર્ચ 2013 (14:59 IST)
P.R
સરકારે પસાર કરેલા ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયકનો વિરોધ કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા આગામી તા.૧લીએ ગાંધીનગરમાં ખેડૂતોનું મહાસંમેલન યોજવાનું આયોજન કરાયું છે.

કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોને સિંચાઈ અને પાણી મેળવવા પર પ્રતિબંધ ફરમાવતાં તેમજ બોર કરવા પર પ્રતિબંધ સહિતની અનેક બાબતો પર મનાઈ ફરમાવતો કાયદો લાવી છે. ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા વિધેયક ર૦૧૩ના નામે લવાયેલા પાણીના કાળા કાયદાનો ખેડૂતોમાં અંદરખાને ઉગ્ર વિરોધ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આ કાળા કાયદાનો વિરોધ કરવા લડતના મંડાણ કરાયા છે.

સોમવારે સવારે ૧૦ વાગ્યે ગાંધીનગર ખાતે પથિકાશ્રમ સામેના મેદાનમાં ઘ-૩ ખાતે વિશાળ ખેડૂત મહાસંમેલન યોજવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી તુષાર ચૌધરી સહિતના ઉપસ્થિત રહેશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments