Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ગણપતિબાપાનો શાહી ઠાઠ, સવા લાખ હીરાનો શણગાર

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (09:59 IST)
દેશમાં ગણપતિ બાપાની ભાવભક્તિ સાથે અર્ચના થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં સુરતના વરાછામાં વર્ણીરાજ સોસાયટીમાં ગણપતિ બાપ્પાનું શાહી સ્થાપન કરવામાં આવ્યું છે. અહીં લગભગ 1 લાખ 11 હજાર 111 હીરાથી ગણપતિબાપાની મૂર્તિનો શણગાર કરાયો છે. આયોજકોએ આ અંગે કહ્યું હતું કે ગણપતિ બાપાની માટીની પ્રતિમા ઉપર સૂંઢ, બાજુબંધ, હાર, કાન પર રજવાડી કૂંડળ, સહિતના શણગારમાં સવા લાખ જેટલા ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય ઓરીજનલ મોતીના લાડુ બનાવવામાં આવ્યાં છે. મૂર્તિને શણગારવા માટે સોસાયટીમાં જ ડ્રેસિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સોસાયટીની મહિલાઓએ  શણગાર    કર્યો હતો.  સ્થાનિકોએ જણાવ્યું હતું કે દસ દિવસ સુધી અહીં બે ટાઈમ આરતી કરવામાં આવે છે.  સોસાયટીમાં આઠ એપાર્ટમેન્ટ છે.   10 દિવસ સુધી બાપ્પાના સ્થાપન પાસે જ બેટી બચાઓ બેટી પઢાઓના સંદેશો, સત્યનારાયણ ભગવાનની કથા, રક્તદાન- અંગ દાન અંગેની જાગૃતિ લોકોમાં ફેલાવવામાં આવી રહી છે.
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments