Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાધ્વી ઋતુંભરાએ બીજેપીને ગૌ હત્યા મામલે રાજનીતિ નહી કરવા માટે ચેતવણી આપી

Webdunia
સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (16:34 IST)
સાધ્વી ઋતુંભરાએ બીજેપીને ગૌ હત્યા મામલે રાજનીતિ નહી કરવા માટે ચેતવણી આપી હતી. સાધ્વીએ જણાવ્યું હતું કે, જો ગૌ હત્યા મામલે રાજનીતિ કરશે તો બિહાર જેવી જ હાલત યુપીમાં થશે. સાધ્વી ઋતુંભરાએ ગૌ માસના નિકાસ રોકવા પરસોતમ રૂપાલા સાથે પણ મુલાકાત કરી હતી. અને ગૌ હત્યા અટકાવવા માટે સમગ્ર દેશમાં કડક કાયદો બનાવવો જોઇએ અને આ કાયદમાં મૃત્યુ દંડની સજાની પણ જોગવાઇ હોવી જોઇએ તેવી માંગ કરી હતી.

બિહારમાં બીજેપી ગૌ માસને મુદ્દો બનાવ્યો હતો, જેના લીધે તેની બિહારમાં હાર થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે તેને લઇને સાધ્વીએ બીજેપીને ચેતવણી આપી હતી.

ગૌ હત્યા વિરોધના સંમ્મેલનમાં અમદાવાદ આવેલા સાધવી ઋતુંભરાએ શનિ મંદિર વિશે બોલતાં કહ્યું કે, પરંપરાઓ બદલવી જોઈએ. ઋતુંભરાએ મહિલાઓને સલાહ આપી કે જીદ્દ કરવી હોય તો સ્ત્રી ભૃણ હત્યા રોકવા માટે કરો નહી કે મંદિરમાં પ્રવેશ માટે. શનિ શિંગણાપુરમાં મહિલાઓ પૂજા ન કરી શક્તિ હોવાથી ભૂમાતા બ્રિગેડની 400 મહિલાઓ શનિ મંદિરમાં પૂજા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું પોલીસે તેમને આગળ જતા અટકાવી હતી. આ વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એક મહિલાએ શનિ દેવની શિલાને તેલ ચડાવ્યું હતું.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments