ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ, વજુભાઇ વાળા છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તા.29મી જુલાઇનાં રોજ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર વજુભાઇ વાળાને પ્રોસ્ટેટની તકલીફ થતાં તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગઇકાલે એટલે કે તા.30મી જુલાઇનાં રોજ ડો.મુકેશ પટેલ અને ડો.કમલેશ પટેલ દ્વારા ઉંમર સંબંધિત પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
આજે તા.31મી જુલાઇ, બુધવારે તેઓને ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા છે અને તેઓ પર થયેલા સફળતાપૂર્વક ઓપરેશન બાદ તેમની હાલત સ્થિર હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.