rashifal-2026

લોકસભાની ચૂંટણી પહેલા મુસ્લિમ અને યુવાનોને આકર્ષવાની કવાયત

Webdunia
શનિવાર, 29 જૂન 2013 (11:04 IST)
P.R
લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહે સચર કમિટીના અહેવાલના આધારે દેશના મુસ્લીમો અને યુવાનોને આર્કષવા માટેનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાના નિર્દેશો આપ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ જ રીતે યુવાનો અને ખાસ કરીને મુસ્લીમ યુવા પ્રતિભાઓને આર્કષવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે.

આના ભાગરૂપે તેઓ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે એક વિશાળ સંમેલનન સંબોધનાર છે જેમાં ખાસ કરીને મુસ્લિમ યુવાનો, વક્તાઓ અને સ્કોલરો હાજર રહેનાર છે. મોદી 'યંગ ઇન્ડિયન લિડર્સ કોન્ક્લેવ'માં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અંગે પોતાના વિચારો રજૂ કરશે. આ કોન્ક્લેવમાં દેશભરના પ્રતિભાશાળી યુવાનો, ખાસ કરીને મહત્ત્વના રાજ્યોના મુસ્લિમ યુવાપ્રતિભા ખાસ ઉપસ્થિત રહેવાની છે. મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં સંબોધન સિવાય હાજર યુવાનોના પ્રશ્નોના ઉત્તરો પણ આપશે. આ ઉપરાંત સંમેલનમાં હાજર રહેનાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે અબ્દુલ કલામ અને નરેન્દ્ર મોદી સાથે આ સંમેલનમાં સંવાદ કરવાનો યુવાનોને મોકો મળશે. આ કોન્ક્લેવ દરમિયાન રજૂ થનારા વિચારો, સંવાદોના આધારે તૈયાર થનારા વિઝન ૨૦૨૦ પરના સૂચનો બન્ને મહાનુભાવો સમક્ષ રજૂ કરાશે. આમ મોદી મુસ્લિમ અને યુવાનો સાથે સંવાદ સાધશે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ સચર કમિટીના અહેવાલ સાથે લઘુમતી સમાજ માટે એક ખાસ વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવા જઇ રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદીએ પણ લઘુમતી સમાજના યુવા પ્રતિભાને આર્કષવા માટેની કવાયત શરૂ કરી દીધી છે. સિટીઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સના ઉપક્રમે 'હાઉ ગવર્નન્સ એન્ડ બિઝનેસ કેન ચેન્જ ટુ પ્રોવાઇડ ઇન્ડિયન યુથ વીથ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધે ડિઝર્વ' વિષય પર ભારતના યુવા બિઝનેસ અને સામાજિક અગ્રણીઓ સાથે ઇન્ટરેક્ટિવ કોન્ક્લેવ યોજાઇ રહ્યો છે. માત્ર યુવાનો માટેના આ સંમેલનમાં બસ્સો મહાનુભાવો ઉપસ્થિત રહેશે એમાં લગભગ ૩૦ ટકા લઘુમતિ સમાજમાંથી આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments