Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાણીની વાવનો સર્વે કરવા યુનેસ્કોની ટીમ પાટણમાં

Webdunia
મંગળવાર, 22 ઑક્ટોબર 2013 (11:54 IST)
P.R
પાટણની રાણીની વાવ એ શિલ્પ સ્થાપત્યનો બેજોડ નમુનો છે. રાણીની વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળે તે માટે યુનેસ્કોની ટીમ પાટણ આવી છે. બે દિવસ આ ટીમ વાવનો સર્વે કરશે.

સોલંકી કાળમાં બનેલી પાટણની રાણીની વાવ ભારતભરમાં વિખ્યાત છે. રાણી ઉદયમતીએ પતિની યાદમાં આ વાવ બંધાવી હતી. આજથી 900 વર્ષ પહેલા એટલે કે 11મી સદીમાં આ વાવ બંધાઈ હતી. પથ્થરોમાંથી બનેલી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. વાવમાં 300 જેટલા સ્તંભ અને 400થી વધુ મૂર્તિઓ છે. સાથે ભગવાન વિષ્ણુના દશાવતાર, અપ્સરાઓ, રામાયણ તથા ધાર્મિક યંત્રોની ડિઝાઈન પણ કોતરવામાં આવેલી છે. યુનેસ્કોએ પાટણની રાણીની વાવની નોંધ લઇ પોતાની ટીમને પાટણ મોકલી છે. જે હાલમાં વાવનો સર્વે કરી રહી છે. પાટણનાં અગ્રણીઓને આશા બંધાઈ છે કે, અલભ્ય વાવ વિશ્વ વિરાસતમાં સ્થાન પામશે.

રાણીની વાવને હજુ વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું નથી. જોકે યુનેસ્કોની ટીમે પાટણની રાણીની વાવની નોંધ લીધી છે, ત્યારે આશા રાખીએ કે રાણીની વાવ વિશ્વ વિરાસત બની ગુજરાતીનું ગૌરવ વધારે...

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments