Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે માળનું મકાન ધરાશાયી

Webdunia
મંગળવાર, 28 જુલાઈ 2015 (15:13 IST)
ગઈ કાલથી રાજ્યમાં અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે. ગત મોડી રાત્રે વિરમગામ તાલુકાના દેત્રોજ ગામમાં આવેલા ઠાકોરવાસમાં બે માળનું મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

ગઈ રાત્રે ૧૨-૩૦ વાગ્યાની આસપાસ વિરમગામ તાલુકાના દેત્રોજ ગામમાં ઠાકોરવાસમાં આવેલું બે માળનું મકાન અચાનક ધરાશાયી થયું હતું.  આ મકાનમાં નવથી દસ લોકો રહેતા હતા. નીચે રહેતા ચાર સભ્યો મકાન ધ્રૂજતાં બહાર નીકળી ગયા હતા, પરંતુ ઉપર રહેતા પાંચ લોકો બહાર નીકળે તે પહેલાં જ મકાન ધરાશાયી થયું હતું. મકાનના કાટમાળ નીચે દટાઈ જવાથી બે બાળકો અને એક મહિલા સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં.

દેત્રોજ પી.એસ.આઈ. બી.જી. પરમારે જણાવ્યું હતું કે મકાન ધરાશાયી થયું હોવાની જાણ થતાં અમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગે ફાયરબ્રિગેડ તેમજ ડિઝાસ્ટર ટીમને જાણ કરવામાં આવી હતી, પરંતુ અમારી પાસે માણસો નથી તેમ કહી ટાળી દીધું હતું. જેથી ખાનગી જેસીબી મંગાવી કાટમાળ ખસેડી ઈજાગ્રસ્તોનો  બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી અને ત્રણેય મૃતકોની લાશને પી.એમ. માટે મોકલી આપી હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments