Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફતેપુરામાં વારંવાર થતાં તોફાનો

Webdunia
સોમવાર, 29 જૂન 2015 (14:58 IST)
ફતેપુરામાં વારંવાર થતાં તોફાનો મકાનનો અટવાયેલો સોદો જવાબદાર હોવાનું મનાય છે. આ સોદાની આડે મંદિર હોવાનું મનાઇ રહયું છે. આ અંગે ગુપ્ત રીપોર્ટ રાજયના ટોચના અધિકારીને અપાયો હોવાનું જાણવા મળે છે.થોડાંક દિવસો પહેલા ફતેપુરા વિસ્તારમાં રાતના સમયે બે જૂથો સામે સામે આવી જતાં કોમી છમકલું થયું હતું. જેના પગલે શહેર પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી અનેક લોકોની ધરપકડ કરી હતી.

આ ઘટનાને પગલે રાજયના અધિક પોલીસ વડા પાંડે પણ વડોદરા દોડી આવ્યા હતા. તેમણે ફતેપુરામાં જઇ જાતે પણ તપાસ કરી હતી. ત્યારે તેમણે 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ગુપ્ત રીપોર્ટ ડીજીપીને આપીશ.આ ઘટનામાં રાજયના ગુપ્તચર વિભાગે પણ તપાસ કરી રીપોર્ટ આપ્યો હતો. ગુપ્તચર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ફતેપુરા વિસ્તારમાં આવેલ એક મકાન છે. આ મકાનનો સોદો ચાલે છે.

આ મકાન લઘુમતી કોમનો રહીશ ખરીદવા માંગે છે. મકાનની નજીક મંદિર છે એટલે મકાન માલિકને માત્ર રૂ.દશેક લાખ મળે તેમ છે જો મંદિર હટાવી લેવાય તો મકાન માલિકને તેની બેવડી કિંમત રૂ.૨૦ લાખ મળે તેમ છે. જેથી એમ મનાય છે કે ખરીદનાર અને વેચનાર બંનેને આ મંદિર હટાવવામાં રસ હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

સૂત્રો ઉમેરે છે કે ૧૯૯૨માં બાબરી મસ્જીદ ધ્વંસ થઇ અને ૨૦૦૨માં ગોધરાકાંડ પછી તોફાનો થયા પરંતુ સરસીયા તળાવ નજીકના એકેય મંદિર પર હુમલો થયો નથી તો પછી ફતેપુરાના મંદિર પર જ કેમ હુમલો થાય છે આવા સવાલ સાથે તપાસ કરવામાં આવી હતી. જે બાબતે કેટલાક તથ્યો બહાર આવ્યા છે જે ઉપલા લેવલે મોકલી આપવામાં આવ્યા છે.

આ મંદિરને હટાવવા મકાન માલિક સહિત વિસ્તારના તમામ જૂથોને રસ હોવાનું પણ રીપોર્ટમાં દર્શાવાયું છે એમ કહેવાય છે કે આ રીપોર્ટ સિવાયની પણ અનેક સ્ફોટક બાબતો રીપોર્ટમાં દર્શાવાઇ છે. આ રીપોર્ટના આધારે રાજય સરકાર અને પોલીસ હવે કડક પગલાં ભરશે એમ મનાઇ રહયું છે. ફતેપુરામાં વારંવાર તોફાનો થાય છે તે અંગે હજુ પણ વધુ તપાસ થઇ રહી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments