કોઈ એક પ્રસંગે નરેન્દ્રં મોદી પોતાના વક્તેવ્યવમાં બોલી રહ્યા હતા કે આજનો યુગ ટીચિંગનો યુગ નથી, લર્નિંગનો યુગ છે. શિક્ષણના સંદર્ભમાં તેઓ બોલ્યાં હતા. આજે બાળકને લર્નિંગ માટે અનેક નવા ર્સોસ મળી ગયા છે. સોશ્ય લ મિડિયા (ઇન્ટોરનેટ, ફેસબુક, ટ્વિંટર એન્ડર સો ઓન...)એ આજના વિદ્યાર્થીઓને ‘ગૂગલગુરૂ' ની ભેટ આપી છે. પોતાને જે શીખવું હોય એનો સબ્જેેક્ટ્ લખીને એન્ટડર માર્યું નથી કે તેની સામે માહિતીના સાતે સમુંદર ઘૂઘવાટા કરવા લાગે છે. હવે ટીચિંગ આઉટડેટેડ થઈ ગયું છે, લર્નિંગનો યુગ છે અને લર્નિંગ ઇન્ટારેસ્ટિં ગ બન્યુંિ છે.
નરેન્દ્ર મોદીની સૌથી મોટી ખૂબી તરફ કોઈનું ધ્યાન કદાચ નથી ગયું તે એ છે કે તેઓ પોતે આપણી પ્રાચીન સંસ્કૃ તિને પૂજનારા છે. વેદ-ઉપનિષદ અને ઋષિ-મુનિઓની વૈરાગ્યછ પરંપરાના હિમાયતી છે, કિન્તુ નવી ટેક્નોિલોજી પ્રત્યે દ્વેષભાવ રાખતા નથી. વારંવાર વિડિયો-કોન્ફોરન્સ કરવી, ટ્વિયટર પર પોતાના વિચારો વ્ય ક્ત કરતા રહેવું અને એ દ્વારા પોતે અપડેટ પણ થતા રહે છે તથા વ્યાયપક સંપર્કને પણ ધબકતો રાખે છે. દરરોજ સવારે યોગ કરવા આપણા કેટલાક નેતાઓ પાસે સમય હોય છે? નરેન્દ્ર મોદી દરરોજ સવારે યોગ કરે છે એવું તેમણે તાજેતરમાં જ એક વિદ્યાર્થીના પ્રશ્નના જવાબરૂપે કહ્યું હતું. પરંપરા અને પ્રયોગનો આવો સંગમ એટલું તો પુરવાર કરે જ છે કે નરેન્દ્ર મોદી પાસે વિઝડમ પણ છે અને વિઝન પણ છે. જો એવી વ્યગક્તિ આપણને વડા પ્રધાન તરીકે મળવાની હોય તો તેની પ્રતીક્ષા કોને નહીં હોય?
નરેન્દ્ર મોદી આજે માત્ર એક વ્યક્તિર જ નથી, પ્રચંડ આંધી છે. ગુજરાતનો એક મુખ્યો પ્રધાન એવી પ્રતિભા ધરાવે છે કે કેન્દ્ર ની સરકાર તેની સામે હચમચી જાય છે. તમે કોઈ પણ ન્યુઆઝ-ચેનલ કે ન્યુિઝ-પેપર નરેન્દ્ર મોદીના કવરેજ વગર નહીં જોઈ શકો. પ્રાદેશિક અખબારો અને ચેનલોને પણ નરેન્દ્ર મોદી વગર ચાલતું નથી. મોદી એવી પર્સનાલિટી છે જેમના વિશે સતત અવનવી અટકળો થતી રહે છે. અત્યાુરે મોદી વિશેની સૌથી ગળચટ્ટી અટકળ એ ચાલી રહી છે કે તેઓ ભારતના વડા પ્રધાન બનશે...જ! ગુજરાતમાં જયારે ત્રીજી વખત તેમણે ઇલેક્શલન જીત્યુંર ત્યાનરે તેમનાં માતા હીરાબાએ અત્યંત ભરોસાપૂર્વક કહેલું કે એક દિવસ તે ભારતનો વડો પ્રધાન જરૂર બનશે!