Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો..જો..ને બિહારનાં ધડાકાનું કનેક્શન પણ ગુજરાતમાંથી જ નીકળશેઃ શંકરસિંહનો કટાક્ષ

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2013 (11:12 IST)
P.R
બિહારના પટણામાં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટની જો ન્યાયિક તપાસ થાય તો વિસ્ફોટો કરનારનું પગેરું ગુજરાતમાં નીકળશે. આવો આક્ષેપ ગુજરાતના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. બિહારના પટનામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા થયેલા સાત શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો અંગે બાપુએ કેટલાક આક્ષેપો કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ સવાલ કર્યો છે કે, ઈન્ડિયન મુઝાહિદ્દીને નાણાકીય મદદ કોણ પુરી પાડે છે તેની તપાસ થવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે, ચોક્કસ સમયે જ બિહારમાં વિસ્ફોટ થયા. અને તેનું કારણ શું?. વળી તેમણે આક્ષેપ કર્યો કે, આ તમામની તપાસ થાય તો વિસ્ફોટ કરનારનું પગેરું ગુજરાતમાં નિકળશે. તેમણે અગાઉની ઘટનાનો દાખલો આપી આ આક્ષેપ કર્યો. જેમ બુદ્ધ ગયા વિસ્ફોટનું પગેરું મળ્યું હતું તેમ આ ઘટનાનું પણ પગેરું ગુજરાતમાં નીકળશે તેવો દાવો પણ તેમણે કર્યો. પટણામાં નરેન્દ્ર મોદીની જાહેર સભા પહેલા થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટની પ્રાથમિક તપાસમાં શંકાની સોંય ઈન્ડિયન મુઝાહિદ્દીન તરફ તકાઈ છે. સાથે જ કાવતરું કરાંચીમાં ઘડાયું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આવા સમયે શંકરસિંહ વાઘેલાના આ આક્ષેપો સાથેના દાવાથી રાજકીય ગરમાવો પણ આવી ગયો છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments