Webdunia - Bharat's app for daily news and videos

Install App

જૂનાગઢના નવાબનો અમૂલ્ય ખજાનો હવે જનતા જોઈ શકશે

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2012 (10:58 IST)
P.R
જૂનાગઢના નવાબના અમૂલ્ય ખજાનાને જૂનાગઢના સરદાર બાગમાં આવેલ તાજમંઝીલ બિલ્ડીંગ સંગ્રહાલયમાં જાહેર જનતા માટે પ્રદર્શિત કરવાનું આયોજન છે.

હાલમાં જૂનાગઢના નવાબનો આ ખજાનો કલકેટર, જૂનાગઢ હસ્તકની તિજોરીમાં છે, તેમ વિધાનસભામાં જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂના એક પ્રશ્નના ઉત્તરમાં રમતગમત મંત્રી ફકીરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું.

વાઘેલાએ જણાવ્યું હતું કે, 1947માં ભારત આઝાદ થતાં જૂનાગઢના નોબતખાન ત્રીજાએ ભારતમાં નહીં જોડાવવાનો નિર્ણય લેતાં સરદાર વલ્લભભાઈ પટેલે લશ્કરી પગલાં લેતાં આ નવાબ પાકિસ્તાન ભાગી ગયા હતા અને ત્યારથી આ ખજાનો જૂનાગઢના કલેકટર હસ્તક છે.

આ ખજાનાને મ્યુઝીયમમાં પ્રદર્શિત કરવા માટે 255000 ના એક એવા 34 બુલેટપ્રુફ શોકેઝ રૂા. 7670000 ના ખર્ચે તૈયાર થઇ રહ્યા છે. આ ખજાનામાં 219 નંગ સોનાના તથા 2426 નંગ ચાંદીના નમૂનાઓ છે. જૂનાગઢના દરબારહોલ તથા સક્કરબાગ મ્યુઝીયમનું એકીકરણ કરવાથી મુલાકાતીઓ વધુ સારી રીતે મુલાકાત લઇ શકશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments