યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ વડનગરમાં ખોદકામ દ્વારા મળી આવેલા અવશેષોના સ્થળને વરસાદ અને અન્ય પ્રદૂષણથી રક્ષણ આપવા ખાસ ફાઇબરનો વિશાળ શેડ બાંધવાની યોજના છે. બુદ્ધ મઠ અને સિક્કાઓના અવશેષોનાં દર્શન કરાવતી એ સાંસ્કૃતિક દીવાલને બાંધવાની પણ અમારી યોજના છે. એ અધિકારીના જણાવ્યા મુજબ એ કામ માટે રૂ. ૪૦ લાખ ફાળવવામાં આવ્યા છે.