rashifal-2026

ઉના કાંડમાં નવો વળાંક - પહેલા રજા આપી પછી તબિયત લથડતા ફરી દાખલ કર્યા

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2016 (11:46 IST)
ઉના દલિત યુવકોને માર મારવાનો મામલો દિવસેને દિવસે વધુ ભયંકર બની રહ્યો છે. મંગળવારના રોજ રાજકોટ સિવિલમાંથી ચારેય પીડિતોને રજા આપી દેવામાં આવી હતી. જો કે, આ ચારેય પીડિતો પોતાના વતન પહોંચતા તેમની તબિયત લથડતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સિવિલમાં સારવાર માટે આવેલા પીડિતોમાંથી હાલમાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પીડિતોના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ સિવિલમાં સારવાર ચાલી રહી હતી તેમની સ્થિતીમાં સુધારો ન હોવા છતાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના દબાણને કારણે તેમને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત થથી વિગતો અનુસાર, રાજકોટ સિવિલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ પોતાના વતન પહોંચેલા પીડિત    યુવાનોએ સવારે શરીરમાં દુઃખાવો શરૂ થઇ ગયો હતો તેમજ ઉલટી થઇ હતી. આ ઉપરાંત યુવકના કાનમાંથી લોહી નીકળ્યું હતું. જેના કારણે તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૧૬ જૂલાઇના રોજ ચારેય પીડિત દર્દીઓ રમેશ સરવૈયા, અશોક સરવૈયા, વશરામ સરવૈયા અને બેચર સરવૈયાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments