થોડા વર્ષોમાં આની ઇફેકટ એટલી પરફેકટ બની કે, ગુજરાત સહિતના પ્રદેશમાં ભાદરવા સુદ ચોથનું મહત્વ વધી ગયું. લોકમાન્ય તિલકે શરૂ કરેલી સાર્વજનીક ઉજવણી હવે દેશના દરેક ખૂણે-ખૂણે પહોંચી ગઇ છે. આજે દરેક શહેરમાં ગણેશજીની પ્રતિમાઓ બનાવતા કારીગરો બારેમાસ વસવાટ કરવા લાગ્યા છે. આખું વર્ષ પ્રતિમાઓ બનાવીને તેનો સંગ્રહ કરી રાખે છે અને ગણેશ મહોત્સવ આવતાની સાથે આ ગણેશ પ્રતિમાઓ ચપોચપ વેંચાવા લાગે છે. પ્રતિમાઓની સાઇઝ અને તેની કારીગરી ઉપર કિંમતની મુલવણી થાય છે. એક શહેરમાં એક અંદાજ મુજબ ૩ થી ૪ હજાર પ્રતિમાઓનું વેંચાણ થાય છે. એક સમય એવો હતો કે, ગણેશજીની પ્રતિમા છેક બહારથી મંગાવવી પડતી હતી તેને બદલે હવે બારેમાસ પ્રતિમાઓ મળતી થઇ ગઇ છે !
આજની યગં જનરેશન પણ ફેસ્ટીવલ પ્રિય બની ચૂકી છે. આથી ગણેશજીના મહોત્સવની ઉજવણીમાં ચારચાંદ લાગી રહ્યા છે. જો કે જેમ-જેમ સાર્વજનીક મહોત્સવનો ક્રેઝ વધતો ચાલ્યો છે તેમ-તેમ પ્રોબ્લેમ્સ પણ વધતા રહ્યા છે. પ્રતિમાઓનું સર્જન દિવસે-દિવસે વધતું ગયું અને તેના વિસર્જન વખતે ઉભી થયેલી એન્વાયરમેન્ટ સમસ્યાને નાથવા હવે ધર્મપ્રિય પ્રજાને પર્યાવરણવિદો અપીલ કરી રહ્યા છે કે, પ્લાસ્ટર ઓફ પેરિસ, સિસુ, મરકયુરી, કેમીકલ્સ પેઇન્ટસવાળી ગણેશજીની મૂર્તિઓ ન ખરીદે. એન્વાયરમેન્ટ અવેરનેશ સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓએ હવે પ્રતિમાઓ બનાવતા કારીગરોનો સંપર્ક કર્યેા છે. તેઓને સમજાવી રહ્યા છે કે, વિધ્નહર્તાની પ્રતિમાઓ પર્યાવરણને વિધ્ન ન પહોંચાડે તે માટે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સર્જન કરે અને વિધ્નહર્તાની સાચી ભકિત સાર્થક કરે !
મુંબઇમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ માટે ડો.નરેન્દ્ર દાભોલકરે ઝુંબેશ ચલાવેલી. ડો.નરેન્દ્ર આ મામલો છેક કોર્ટ સુધી લઇ ગયા. જેમાં અદાલતે પણ વાતને સ્વીકારી સમગ્ર સમાજનું કલ્યાણ થાય તે અર્થે ગણેશજીની પ્રતિમાઓને ઇકો ફ્રેન્ડલી બનાવવા હુકમ કરી ઠરાવ્યું કે, પ્લાસ્ટ ઓફ પેરિસ, સિસુ, મરકયુરી કે કેમીકલ્સ પેઇન્ટસનો ઉપયોગ કરવો નહીં. મહારાષ્ટ્ર્રમાં લાખોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓનું ઘરમાં સ્થાપન થાય છે ત્યારે આ પ્રતિમાઓ છેલ્લે જયારે સમુદ્રમાં વિસર્જીત થાય તો પર્યાવરણને પણ નુકશાન ન પહોંચે તે ખરેખર જાગૃત નાગરિક તરીકે વિચારવું પણ જોઇએ જ.
આજે ગણેશ સાર્વજનીક મહોત્સવ ફકત મહારાષ્ટ્ર્ર પૂરતો સીમીત નથી રહ્યો. જેમ તેનો વ્યાપ ગુજરાત અને અન્ય પ્રદેશોમાં પ્રસરી ગયો છે તે જ રીતે વિદેશની ભૂમિ પર પણ ગણેશ મહોત્સવ થવા લાગ્યા છે. લંડન હોય કે અમેરિકા સર્વત્ર વિધ્નહર્તાનું સ્થાપન કરી ખુબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. લંડનમાં કેટલીક સાંસ્કૃતિક સોસાયટીઓ દ્રારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે તો અન્ય દેશોમાં પણ વર્ષોથી વસવાટ કરતા ભારતીયો ગણેશમયી બની જાય છે. અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, મુંબઇના 'લાલબાગ ચા રાજા'ની માહિતી હવે વિસ્તૃત રીતે 'વિકીપીડીયા'માં પણ પહોંચી ગઇ છે. ગણેશજીનું મહાત્મય જાણીને વિકીપીડીયાએ વર્ષ ૨૦૦૭માં આ ગણેશજીની વિસ્તૃત માહિતી મુકી દીધી છે. જેને કારણે દેશ-વિદેશમાં વસવાટ કરતા ભારતીયોની સાથે વિદેશના શ્રધ્ધાળુઓ પણ ગણેશજીના મહાત્મયને ફકત કોમ્પ્યુટર ઉપર એક કલીક દ્રારા જાણી શકે છે. 'ઇટસ મેઝીક ફોર ઇન્ડીયન કલ્ચર- લેટસ વી સેલીબ્રેટ ગણેશ મહોત્સવ, બટ ઇકો ફ્રેન્ડલી.'