Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવનાર ચોમાસાનો વરતારો કરતા ગરમાળાનાં પીળાચટ્ટાક ફૂલો

Webdunia
શનિવાર, 10 મે 2014 (14:39 IST)
ધોમધમખતા તાપમાં બધુ જ નિસ્તેજ હોય ત્યારે ગરમાળાનાં ઝાડમાં પીળાચટ્ટાક ફૂલોનો વૈભવ નયનરમ્ય બને એ સ્વાભાવિક છે, પણ લોકવાયકા પ્રમાણે ગરમાળાનાં આ ફૂલો જ આવનાર ચોમાસાનો વરતારો કરી દેતાં હોય છે.
 
કુદરતને સારી પેઠે માણતા અને જાણતા માળીયા હાટીનાં પંથકનાં ગ્રામીણ વયોવૃધ્ધો કરે છે કે, કાળઝાળ ઉનાળામાં જ કુદરત તો આવતા ચોમાસાનો વરતારો કરી દયે છે. વરસમાં માત્ર એક જ વખત ઉનાળાનાં મધ્યાહ્ને ગરમાળાનાં ઝાડમાં પીળાચટ્ટાક ફૂલો આવે છે. આ ફૂલોનાં ઓછાવધુ પ્રમાણ મુજબ ચોમાસામાં મેઘમહેર થતી જોઈ છે. આ વખતે ગરમાળામાં ફૂલો પુરબહારમાં ખીલ્યા હોવાથી ચોમાસામાં ધીંગી મેઘમહેરની આશા બળવતર બની છે. વળી, લોકવાયકા પ્રમાણે ગરમાળાનાં ઝાડમાં ફૂલ આવ્યાંનાં ૪૫ દિવસ બાદ મેઘસવારી આવી પહોંચે છે. એટલે કે ચાલુ ઉનાળામાં ૧લી મે આસપાસ ગરમાળામાં મબલખ ફૂલો લચી પડયા હોવાથી દોઢ મહિના બાદ ૧૫મી જૂન આસપાસ ધૂંઆધાર વરસાદનાં શ્રીગણેશ થશે.
 
કુદરતનાં પારખું એવું પણ કહે છે કે, ગરમાળાનાં વૃક્ષોમાં ભર ઉનાળે ખિલતા ફૂલોનાં આધારે થતો ચોમાસાનો વરતારો ૭૫ ટકા સાચો પડતો આવ્યો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તો કુદરતનાં આ 'કહેણ'ને નિહાળીને જ ધરતીપુત્રો ચોમાસા સમયે કરવાની વાવણીની તૈયારી શરૃ કરી દેતા હોય છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments