એલ.ડીએન્જીનયરીંગ કોલેજ ખાતેથી વિદ્યાર્થી કાર્યકરો રેલી સ્વરૂપે ગાંધીનગર ખાતે પોહ્ચ્યા હતા અને શિક્ષણ મંત્રીના કાર્યાલયમાં એક આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે વિકાસના બંણગા ફૂંકતા મોદીના ગુજરાતમાં ૧૬લાખથી વધારે યુવક યુવતીઓ બેરોજગાર છે. ઉપરાંત તાલીમ યોજના અંતર્ગત અંદાજે ૮લાખ બેરોજગાર યુવાનો છે. તેમાં ફક્ત ૨લાખ ને રોજગારી મળી શકી છે અને તે પણ ફિક્સ પગારના વેતનથી દર મહીને માત્ર ૫૩૦૦રૂપિયા આપીને શિક્ષિત બેરોજગારોનું જે શોષણ થઇ રહ્યું છે. તે બંધ કરવા ભાર પૂર્વક રજૂઆત કરી હતી.