Webdunia - Bharat's app for daily news and videos

Install App

આનંદીબેન પટેલના પ્રધાનમંડળનું કાલે વિસ્તરણ

Webdunia
મંગળવાર, 18 નવેમ્બર 2014 (14:26 IST)
રાજ્યમાં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના પ્રધાનમંડળનું આગામી તા. ૧૯મી નવેમ્બરને બુધવારના રોજ બપોરે ૧૨.૩૯ કલાકના શુભમુહૂર્તે વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ માટે રાજભવનના પ્રાંગણમાં જ શપથવિધિ સમારોહની તૈયારીઓ ચાલી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

રાજ્યમાં મુખ્ય પ્રધાનપદેથી નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યા બાદ ગુજરાતનું સુકાન આનંદીબેન પટેલને સોંપાયું હતું. તત્કાલીન સમયે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પ્રધાનમંડળનું કદ ૨૧ સભ્યોનું રાખ્યું હતું. વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાને જોતા કેબિનેટ અને રાજ્યકક્ષાના મળીને કુલ ૨૭ પ્રધાનોનું સંખ્યાબળ રાખી શકાય. પ્રધાનમંડળના વિસ્તરણની છેલ્લાં ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. પણ પ્રધાનમંડળના વિસ્તરણનું કાર્ય પાછુ ઠેલાતું હતું. તાજેતરમાં જ વિધાનસભાના અધ્યક્ષ તરીકે વનપ્રધાન ગણપતભાઈ વસાવાની વરણી કરાતાં તેમણે વનપ્રધાનપદેથી રાજીનામું આપતા પ્રધાનોની સંખ્યામાં ઘટાડો થયો હતો. પ્રધાનમંડળના વિસ્તરણથી કોઈ અસંતોષ ઊભો ન થાય તે માટે પાંચ જેટલાં સંસદીય સચિવોની પણ તાજેતરમાં જ નિયુક્તિ કરી દીધા બાદ પ્રધાનમંડળના વિસ્તરણની અટકળોએ જોર પકડ્યું હતું.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments