Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહ-મોદીએ આનંદીબેનનું એન્કાઉન્ટર કર્યુ : શંકરસિંહ

Webdunia
મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (23:52 IST)
ગાંધીનગર  વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી શંકરસિંહજી વાઘેલાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં ગઇકાલથી જ ભુકંપ સર્જાયો છે. આ રાજકીય ભુકંપ એ આનંદીબેન પટેલનું રાજકીય એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ એમની આંતરિક બાબત છે.

   એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ એવા બન્ને લોકો વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા મહિલા મુખ્યમંત્રીનું એન્કાઉન્ટર કરવામાં આવેલ છે. મહિલાની વાત કરતા હતા તો બહેનને રક્ષાબંધન સુધી કેમ રહેવા દીધા નહિ.  બહેનનું રાજીનામું પરાણે લેવાયું છે. અમિત શાહ અને નરેન્દ્રભાઇ મોદીએ આનંદીબેનનું એન્કાઉન્ટર કરી નાખ્યુ છે. ગાંધીનગર ખાતે આજે બપોરે શ્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરીષદ બોલાવી હતી. જેમાં રાજય સરકાર અને આડકતરી રીતે વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ઉપર પ્રહારો કરવાનું ચુકયા ન હતા. આકરા પ્રહારો કરતા શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે રાજયનું  કોઇ ગામ એવું નહિ હોય કે જયાં ભ્રષ્ટાચાર ન હોય વાયબ્રન્ટ અને વિકાસની વાહીયાત વાતો કરીને ગુજરાતને બે લાખ  કરોડ ઉપરનું દેવુ કરવામાં આવ્યું છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments