Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માત, 15ના મોત

Webdunia
બુધવાર, 29 મે 2013 (13:22 IST)
:
P.R
અમદાવાદ- મુંબઇ હાઇવે પર થયેલા એક ગોઝારા અકસ્માતમાં લકઝરી બસના ઓછામાં ઓછા 15 મુસાફરો માર્યા ગયા છે અને આ લકઝરી બસ અમદાવાદથી મેનોર જઇ રહી હતી ત્યારે દહાણું પાસે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ થી મુંબઇ જવા નીકળેલી કાબરા ટ્રાવેલ્સની એક લકઝરી બસને દહાણું નજીક અકસ્માત નડ્યો હતો. એક ટ્રેલર ટ્રક દ્વારા તેને ટક્કર મારવામાં આવતાં આ અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસમાં અંદાજે 35 કરતાં વધુ મુસાફરો હતાં. જેમાંથી 15નાં મોત થયાં હોવાનું જાણવા મળે છે.

અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસ અને અન્ય સત્તાવાળાઓએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. માર્યા ગયેલાઓમાં મોટા ભાગના અમદાવાદના હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસ અને લકઝરી બસના સંચાલકો દ્વારા તેની વધુ તપાસ થઈ રહી છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments