Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજીનું મુખ્ય શિખર 60 કિલો સુવર્ણ વડે જડવામાં આવશે

Webdunia
P.R
દેશની પ૧ શક્તિપીઠ પૈકીના એક એવા તીર્થધામ અંબાજી મુકામે દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિરના મુખ્ય શિખરને ૬૦ કિલો સોના વડે સુવર્ણજડિત કરવામાં આવશે.અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મળેલ વિગતો માંથી ગત વર્ષે ૧.૨૫ કરોડથી વધુ યાત્રીકોએ માતાજીના દર્શન કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશમાંથી યાત્રીકો અંબાજી દર્શનાર્થે આવે છે. યાત્રીકોની સંખ્યામાં થઈ રહેલા ભારે ધસારાને ધ્યાનમાં રાખી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરવા તેમજ તીર્થસ્થાનની સાથે પ્રવાસધામ તરીકે પણ વિકસાવવા સંગીન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન જે.બી. વોરાએ એ જણાવ્યુ હતુ કે કુલ રૂ.. ૧૬૮.૦૧ કરોડના ૧૮ જેટલા વિવિધ જેક્ટસ કાર્યરત છે. જેનાથી અંબાજી આવતા યાત્રીકોને જરૃરી સુવિધાઓ વધુ સારી રીતે આપી શકાશે અને રૂ. ૪૫.૪૫ કરોડના ખર્ચથી ગબ્બર મુકામે શ્રી એકાવન શક્તિપીઠ દર્શન પરિક્રમા પથનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. પરિક્રમા પથની કામગીરી પૂર્ણ થતા અંબાજી આવતા માઈ ભક્તો ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈને સંપૂર્ણ યાત્રા કરી શકશે. આ પરિક્રમા માર્ગમાં શક્તિપીઠોના મંદિર કલાત્મક સ્ટોન વર્કથી બની રહ્યા છે. જ્યારે અંબાજી મુખ્ય શિખરને ૬૦ કિલો સોના વડે સુવર્ણ જડિત કરવામાં આવશે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments