Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર પોણા ત્રણ કિલો સોનું અર્પણ

Webdunia
શુક્રવાર, 18 જુલાઈ 2014 (16:06 IST)
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે ગઈ કાલે ૮૨,૧૨,૪૪૯ રૂપિયાની કિંમતનું ૨ કિલો ૭૫૦ ગ્રામ સોનું જગદંબાના ચરણે અર્પણ કરી પૂજનવિધિ કરવામાં આવી હતી.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર ઘનશ્યામ બ્રહ્યભટ્ટે કહ્યું કે SBIના સહયોગથી શરૂ થયેલી ઑનલાઇન ડોનેશન સ્કીમ હેઠળ ભારત અને વિદેશના માઈભક્તો દ્વારા મા અંબેના સુવર્ણમય શિખર માટે અત્યાર સુધીમાં ૨,૦૧,૬૧,૦૯૨ રૂપિયા ભેટ મળેલી છે. આ સ્કીમ હેઠળ ગઈ કાલે માઈભક્તો દ્વારા આવેલા દાનમાંથી લ્ગ્ત્, અંબાજી શાખાના બ્રાન્ચ મૅનેજરે ટ્રસ્ટને ૨ કિલો ૭૫૦ ગ્રામ સોનું આપ્યું હતું, જેને મંદિરમાં જગદંબાના ચરણે અર્પણ કરી પૂજનવિધિ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં SBI મારફત રૂપિયા ૧,૪૩,૬૭,૦૯૯ની રકમનુ ૪.૮૦ કિલોગ્રામ સોનું માઈભક્તો દ્વારા મળેલી ભેટથી ટ્રસ્ટને આપવામાં આવ્યું છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સુવર્ણમય શિખર યોજનામાં અત્યાર સુધીમાં કુલ ૪૦ કિલોથી વધારે સોનાનું દાન મળ્યું છે. હાલમાં અંબાજીમાં મંદિર ખાતે સુવર્ણ શિખરનું કામ ચાલી રહ્યું છે અને ૪૦ ટકા કામ પૂરુ થયું છે. હજી ૮૦થી ૧૦૦ કિલો સોનાની જરૂર છે, જેથી માઈભક્તોને ભેટ આપવા અપીલ કરવામાં આવી છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments