Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંબાના વૃક્ષને બિમાર વ્યક્તિની જેમ બાટલા ચઢાવતા ખેડૂત કનુભાઇ

Webdunia
સોમવાર, 23 માર્ચ 2015 (15:43 IST)
બિમાર વ્યક્તિની જેમ કોઇ વૃક્ષને બાટલો ચઢાવવામાં આવ્યો હોય એવું સાંભળ્યું છે ખરું? આશ્ચર્ય પમાડે એમ નવસારી જિલ્લાનાં ખેરગામનગરમાં રહેતાં એક ખેડૂતે પોતાના આંબાને બાટલા ચઢાવ્યા છે.

અતિશયોક્તિ લાગે એવા આ બનાવની હકીકત એવી છે કે, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાનાં ખેરગામ શામળા ફળિયા ખાતે રહેતા કનુભાઇ શંકરભાઇ પટેલને ઘરે પાંચ જેટલા દેશી કેરીનાં આંબા ઉગ્યા હતાં. આ આંબા મોટા થતાં તેને કેરી આવવા માંડી હતી પરંતુ દેશી કેરીનો ભાવ મળતો ન હોય તેમણે દશેરી, આમ્રપાલી અને પછાતિયો કેરીની ખૂંટીઓ મારી હતી. (ખૂંટી એટલે આંબાના થડમાં આંબાની જાત બદલવા માટે મારવામાં આવતી પાતળી ડાળી.) આ ખૂંટી પાસે દરરોજ પાણી નાખવામાં આવે તો જ ખૂંટી જીવે એમ હોય ખેરગામની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા કનુભાઇનું મગજ તબીબી ઉપાયમાં દોડયું હતું. તેમને અને દર્દીઓને ચઢાવવામાં આવ્યા બાદ ખાલી થયેલા બાટલાનો ટપક સિસ્ટમમા ઉપયોગ કરવાનો વિચાર આવતાં તેમણે પાંચેય આંબાને બાટલા ચઢાવી દીધા હતાં. બાટલામાં ભરેલું પાણી ટપક પદ્ધતિની જેમ ખૂંટી પાસે પડતું રહેતાં તેમની પાંચેય ખૂંટી જીવી ગઇ હતી. કનુભાઇનાં ઘર નજીકથી પસાર થતાં લોકો આંબાને બાટલો ચઢાવેલો જોતા ઉંડા વિચારમાં ગરકાવ થઇ રહ્યાં છે. જો કે, આ સિસ્ટમ સમજ્યા બાદ લોકો પણ ''માનવું પડે'' એમ કહી રહ્યાં છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments