Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેશોદ - પિકનીક મનાવીને પરત ફરી રહેલ સ્કુલ બસ ઉંઘી વળી જતા 5ના મોત

Webdunia
ગુરુવાર, 21 જાન્યુઆરી 2016 (12:23 IST)
જુનાગઢ જીલ્લાના કેશોદ નજીક સુરતના અમરોલી વિસ્તારની કવિશ્રી પારેખ વિદ્યાલય નામના સ્કૂલની બસ ઉંધી વળી જતા વિદ્યાર્થીઓ સહિત પ વ્યકિતઓના મોત નિપજતા અરેરાટી પ્રસરી ગઇ છે. મૃત્યુઆંક વધવાની શકયતા છે.
 
   પ્રાપ્ત માહીતી મુજબ સુરતની કવિશ્રી પારેખ વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઇને શિક્ષકો તા.18થી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેની શ્રીનાથ ટ્રાવેલ્સની ડબલ ડેકર બસ નં. જી.જે.પ ઝેડ-2193  સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે પિકનીક મનાવીને પરત ફરી રહયા હતા ત્યારે કેશોદના અગતરાય પાસે આ સ્કુલ બસ ડીવાઇડર સાથે અથડાતા ઉંધી વળતા 3 છાત્રા અને 2 રસોઇયા બહેનો  સહિત પના ઘટના સ્થળે મોત નિપજયા હતા. આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સેવાભાવી લોકો અગતરાય ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ અકસ્માતમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાત્કાલીક કેશોદ અને જુનાગઢ હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
 
   સોમનાથ બાદ વિદ્યાર્થીઓ જૂનાગઢ જવાના હતાં અને ત્યાં ગીરનાર પર્વત તેમજ જૂનાગઢ દર્શન કરીને પરત સુરત ફરનાર હતાં. આ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. વધુ વિગતો મેળવાઇ રહી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments