Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં કેજરીવાલે પગ મુકવો નહીં, અહીંનું એક એક ઘર ભાજપનું છે - ઠેર ઠેર પોસ્ટરો લાગ્યાં

Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2016 (23:53 IST)
2017માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા રાજકારણ ગરમાયુ અને કેજરીવાલની વિરુદ્ધમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં વિવિધ જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. જેમાં લખાયું છે કે, આ વિસ્તારનું એક એક ઘર ભાજપનું છે માટે કેજરીવાલે પગ મૂકવો નહીં. વરાછા વિસ્તારમાં શરૂ થયેલા પોસ્ટરવોરને પગલે રાજકીય ગરમાવો આવ્યો છે. પાટીદારોને આપ તરફ ખેંચવાના પ્રયાસો થઇ રહ્યા છે. કેજરીવાલની મુલાકાતને લઇને પાસે પ્રતિક્રિયા આપી છે. પાસના નેતા આપ પાર્ટીના નેતાને નહિ મળે. વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, 15 ઓકટોબરે કેજરીવાલ સુરત આવી રહ્યા છે. વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ગ્રાઉન્ડ ખાતે આગામી 16મી ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલની સભા યોજાવા જઈ રહી છે. તે અગાઉ કેજરીવાલનો વિરોધ કરતાં પોસ્ટર લાગતાં રાજકીય ગરમાવો આવ્યો છે. કેજરીવાલ અહીંયા પોલીસ દમનમાં ભોગ બનનાર પાટીદારોની મુલાકાત કરશે. જેમાં અમદાવાદ અને સુરતના પાટીદારોની કેજરીવાલ મુલાકાત લઇ રહ્યા છે અને પાસના નેતા વરૂણ પટેલને પણ મળવાની વાત કરવામાં આવી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments